________________
મંગલ, અષ્ટમંગલ, મહામંગલ
मंगिज्जए ऽधिगम्मइ जेण हियं तेण मंगलं होई ।
अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ॥
[જેના દ્વારા હિતની માગણી કરવામાં આવે છે અને પ્રાપ્તિ થાય છે તે મંગલ કહેવાય છે. અથવા ‘મંગલ'નો અર્થ ધર્મ થાય છે અને એ જે ધર્મ પ્રાપ્ત કરે છે તે મંગલ કહેવાય છે.]
‘મંગલ' શબ્દની બીજી કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે :
मा गलो भूदिति मंगलम् ।
[જે ગલ અર્થાત્ વિઘ્નનો નાશ કરે છે તે મંગલ.]
मद्यान्ति हृष्यन्ति अनेनेति मंगलम् । [જે પ્રસન્ન કરે તે મંગલ.
मह्यन्ते पूज्यन्तेऽनेनेति मंगलम् । [જેના વડે પૂજા થાય છે તે મંગલ.]
લોકજીવનમાં આવી માંગલિક વસ્તુઓની વિભાવના અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. સમય જતાં એને ધર્મકાર્યોમાં પણ સ્થાન મળ્યું. મોટા ધાર્મિક પ્રસંગોમાં માંગલિક વસ્તુઓનાં દર્શન અનિવાર્ય મનાયાં. વૈદિક, જૈન અને બૌદ્ધ પ્રાચીન ધર્મગ્રંથોમાં એના ઉલ્લેખો મળે છે.
૧૭
જૈન ધર્મમાં ચોવીસે તીર્થંકર ભગવાનનાં લાંછનો, તેમનાં પ્રાતિહાર્યો, તીર્થંકર ભગવાનની માતાને આવતાં ચૌદ (અથવા સોળ) સ્વપ્નો, દેવ-દેવીઓનાં આયુધો, ઉપકરણો, વાહનો વગેરે મંગળમય મનાય છે. તે તે વસ્તુનું પોતાનું કે તેની આકૃતિનું દર્શન શુકનવંતુ અને ઇષ્ટ ફલની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. આમ મંગલ ગણાતી વસ્તુઓની યાદી ઘણી મોટી થાય છે. જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરાની-એમ ત્રણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org