Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 173
________________ સાંપ્રત સહચિંતન--ભાગ ૧૨ દરેક માણસે જીવનમાં કંઇક ભૂલો કરી હોય છે. એવી ભૂલો ફરીથી ન થાય એવું માણસ ઇચ્છે. કૌટુંબિક સંબંધો, પત્ની, સંતાનો વગેરેના પ્રશ્નો, નોકરી ધંધાની સમસ્યાઓ અને સફળતાઓ, આરોગ્યની બાબતો, સ્વભાવની વિચિત્રતાઓ, કેટલીક ટેવો ઇત્યાદિ વિશે માણસ જરૂર ફેરફાર ઇચ્છે કે જેથી પોતે જેવું જીવન જીવ્યા તેના કરતાં વધુ સારું જીવન જીવવા મળે. ૧૬૪ શાળા-કૉલેજની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં દુનિયાભરમાં જેમ અસંખ્ય વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય છે તેમ લાખો વિદ્યાર્થીઓ નપાસ પણ થાય છે. નપાસ થનાર વિદ્યાર્થી પાસે નપાસ થવાનાં કારણો હોય છે, જેમાંનું એક કારણ તે પોતે જેટલો સમય અભ્યાસ માટે આપ્યો તેટલો ઓછો હતો. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હોય તેઓ બધાને પોતાના પરિણામથી સંતોષ હોતો નથી. મતબલ કે સરેરાશ દરેકને એમ લાગે છે કે પોતે જો આમ કર્યું હોત તો આમ ન થાત. એટલે કે દરેક વિદ્યાર્થીએ થોડોક સમય તો નિરર્થક વાતોમાં બગાડ્યો છે. સતત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ એવો ફરક રહેવાનો કે કેટલાકે જે મહત્ત્વનું હતું તે ઓછું વાંચ્યું હોય અને જે નિરર્થક હતું તે વાંચવામાં સમય વેડફી નાખ્યો હોય. કુદરતનો ક્રમ એવો છે કે જૂની પેઢીના માણસો કાળક્રમે વિદાય લેતા જાય છે અને નવી પેઢીના યુવાનોના હાથમાં સમાજનાં સૂત્રો આવે છે. કોઇપણ એક વ્યક્તિએ પોતાના સમકાલીનો વચ્ચે જે મોટું કાર્ય કર્યું હોય તેની કદર કરનારા ત્યારે હયાત હોય છે ને ઠેરઠેર એની વાતો થાય છે, પરંતુ થોડાક સમકાલીનો વિદાય થઇ જાય છે, પછી એવી વાતો સાંભળનાર કે પ્રશંસા કરનાર વર્ગ રહેતો નથી અને નવી પેઢીને જૂની પેઢીનાં એ પરાક્રમો કે સિદ્ધિ તુચ્છ અને નિરર્થક લાગે છે. ક્યારેક તો કોઈક બોલે છે, ‘નાખી દેવા જેવી વાત માટે એ જમાનાના લોકોએ પોતાની જિંદગીનો કેટલો બધો સમય વેડફી નાંખ્યો.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186