Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 172
________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । ૧ ૬૩ શીખવા અને નિરર્થક વાત છોડી દેવી, (૪) ગુરુ અનુશાસન કરે, શિક્ષા કરે ત્યારે ક્રોધ ન કરવો, (૫) ક્ષમાશીલ બનવું, (૬) હલકા માણસો સાથે સંબંધ ન રાખવો, તેમની સાથે મજાકમશ્કરી ન કરવાં, (૭) દુષ્ટ કાર્યો ન કરવાં, (૮) યોગ્ય સમયે સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન કરવું, (૯) મિતભાષી થવું અને (૧૦) દુષ્ટ કાર્ય થઈ ગયું હોય તો ગુરુ સમક્ષ સ્વીકાર કરી લેવો. આ દસ શિખામણમાંથી ઉપર કહેલી ફક્ત એકનો અહીં વિચાર કરીશું: સાર્થક વાત શીખવી અને નિરર્થક છોડી દેવી. માણસ નિરર્થક વાત છોડી દેવાનું શીખે તો આપોઆપ કામની વાત શીખવા લાગે. પરંતુ મનુષ્યનો સ્વભાવ એવો પ્રમાદી છે કે નિરર્થક વાત તે જલદી છોડી શકતો નથી. ભગવાન મહાવીરે અધ્યાત્મમાર્ગના સાધક માટે જે વાત કરી છે તે વ્યવહારુ જીવનમાં પણ એટલી બધી ઉપયોગી છે. કોઈપણ સફળ માણસની સિદ્ધિનું રહસ્ય એ છે કે એણે નકામી વાતોમાં સમય વેડફી નાખ્યો નથી. જેઓને જીવનમાં ભૌતિક કે આધ્યાત્મિક સિદ્ધિ મેળવવી હોય તેઓએ સારાસાર વિવેક કરવો જ પડે. કેટલાયે માણસોને સમય કેમ પસાર કરવો તેની સૂઝ પડતી નથી. ૦ તેમનો સમય પસાર થતો નથી એટલે તે આમ તેમ ફાંફાં મારતા હોય છે. તેમને ચેન પડતું નથી. જેમ તેમ કરીને વેઠપૂર્વક તેઓ દિવસ પૂરો કરે છે. એવા લોકોની જિંદગીનું કશું મૂલ્ય નથી. કોઈપણ માણસને પૂછવામાં આવે કે તમને તમારી જિંદગી ફરી જીવવાની મળે તો તમે એમાં કેવા ફેરફાર કરશો ?” કોઈક જ માણસ એવા મળે કે જે કહે કે પોતાને જે જિંદગી મળી છે બરાબર તે જ પ્રમાણે પોતાને જીવવી છે. પોતાને એમાં કશા ફેરફાર કરવા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186