Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 176
________________ अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि उ वज्जिए । ૧૬૭ કરવો જોઇએ. સમાજમાં રહેવાને કારણે અને વર્તમાન સમયમાં તો પ્રચાર-માધ્યમો વધી ગયાં હોવાથી, સાધક જો જાગૃત ન હોય તો નિરર્થક વાતોમાં તે રસ લેવા લાગી જાય છે અને એવી વાતોનો એક વખત ચટકો લાગે એટલે જિજ્ઞાસા ઉત્તરોત્તર સતેજ થતી રહે અને પછી એનો ક્યાંય અંત આવે નહિ. સાધકને એક વખત લૌકિક વિષયોમાં અને એવાં અધ્યયનોમાં રસ પડે પછી એ વ્યસનરૂપ બની જાય છે અને એમાંથી નિવૃત્ત થવાનું અઘરું બની જાય છે. અધ્યાત્મમાર્ગના સાધકને પોતાના કાર્ય અંગે ક્યારેક ઉપયોગી લાગ્યા હોય એવા વિષયો જેવા કે જ્યોતિષશાસ્ત્ર, હસ્તરેખાવિજ્ઞાન, શિલ્પશાસ્ત્ર, ચિત્રકલા, વક્તૃત્વકલા, આયુર્વેદ, કાવ્યાલંકારશાસ્ત્ર, ભાષા-વ્યાકરણ વગેરેમાં રસ પડે છે. પણ પછી તેઓ એમાં એટલા બધા ખેંચાઇ જાય છે અને એમાં ડૂબી જાય છે કે મોક્ષમાર્ગની પોતાની સાધના ચૂકી જાય છે. વ્યવહારુ અપેક્ષાએ ઉપયોગી એવાં શાસ્ત્રો પણ મોક્ષાભિલાષી, આત્મજ્ઞાન તરફ આગળ વધતા મહાત્માઓ માટે નિરર્થક બનવા સંભવ છે. સતત જાગૃત રહેવાનું સરળ નથી. પ્રમાદ તો એમાં કામ કરી જ જાય છે, પરંતુ ક્યારેક ગૃહસ્થો કે સાધુ ભગવંતોના જીવનમાં પૂર્વબદ્ધ કર્મના ઉદયે એવી ઘટનાઓ બને છે કે જે એમના હાથમાં રહેતી નથી. તેવે વખતે નિરર્થક વાતો-વિષયોમાં ઘણો સમય બરબાદ થઇ જાય છે. પરંતુ એવે વખતે પણ જાગૃત વ્યક્તિઓ, બાહ્ય ઘટનાઓ સાથે પ્રવાહપતિત બને છે છતાં એમનું જોડાણ તો આત્મભાવમાં જ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186