Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 159
________________ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ છે તેમ નદી, તળાવ કે તરણહોજમાં રમતાં બાળકોને પણ બહાર કાઢવાનું અઘરું છે. કેટલાક માણસોને વહેતી નદીના કિનારે જ રહેવું પ્રિય લાગે છે, કોઇકને ઘૂઘવાતા સમુદ્રના કિનારે ગમે છે, તો કોઇકને શાન્ત સરોવરનો કાંઠો વધુ પસંદ પડે છે. અંગ્રેજ કવિ શેલીને પાણીનું એટલું બધું ગાંડપણ હતું કે તે કલાકોના કલાકો સુધી પાણીને નિહાળતો બેસી રહેતો. પાછળથી એની આ વાત એટલી ઉત્કટ બની ગયેલી કે એણે સંકલ્પ કર્યો કે પોતે પાણી સાથે એકરૂપ થઇ જવા માટે ‘જળસમાધિ’ લેવી એટલે કે ડૂબીને મરી જવું. એટલા માટે એ તરવાનું શીખ્યો નહિ અને છેવટે યુવાન વયે પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. ૧૫૦ જૂના સમયની દંતકથા છે કે એક સાધુકવિને મહાસાગર ઉ૫૨ મહાકાવ્ય લખવાનું મન થયું. તેઓ રાત-દિવસ સાગરનું જ ચિંતન ક૨વા લાગ્યા. તે એટલી બધી હદ સુધી કે રાતદિવસ સાગરના વિશાળ જળરાશિનો વિચાર કરતાં કરતાં એમણે પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી. આટલા બધા પાણીનું શું થશે ? ક્યારે એ ખૂટશે ? એમ કરતાં કરતાં એમના પેટનું પાણી વધી ગયું. જલોદરનો રોગ થયો. ઘણા ઉપચાર કરવા છતાં મટ્યું નિહ. પરંતુ કોઇક કુશળ વૈદે કારણ શોધી કાઢ્યું. એણે માનસિક ઉપાય અજમાવ્યો. એણે કહ્યું, ‘મહારાજ ! મહાસાગરનું ચિંતન ઘણું કર્યું. હવે મહાસાગરને તળિયે અનાદિ કાળથી વડવાનલ રહેલો છે. તે પાણીનું શોષણ કરે છે. તો વડવાનલ પર મહાકાવ્ય લખો.’ સાધુને વિચાર ગમી ગયો. રાત-દિવસ તેઓ હવે વડવાનલનું ચિંતન કરવા લાગ્યા. એમ કરતાં કરતાં શરીરનું પાણી શોષાવા લાગ્યું. એમનો જલોદરનો રોગ મટતાં વૈદે એમને બીજી વ્યવહારુ વાતો પર વાળી દીધા. આપણે ત્યાં અગસ્ત્ય મુનિની વાત છે કે એમને એટલી બધી તરસ લાગેલી કે ઘણું બધું પાણી પી જવાનો એમને ભાવ થયો. એમણે અંજલિમાં સમુદ્રનું પાણી લીધું અને પીતા ગયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186