Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 161
________________ અપભ્રંશ દૂહાનું સાહિત્ય ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પામેલા વિક્રમના બારમા શતકના મહાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે કવિતા અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ચરિત્ર, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપશ્ચર્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકલ્યાણ, લોકકલ્યાણ અને આત્મકલ્યાણ-એમ જીવન અને સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં એક સાથે સાત દાયકા જેટલા દીર્ઘકાળ સુધી જેવું અને જેટલું ભગીરથ અને ચિરંજીવી કાર્ય કર્યું છે તેવું અને તેટલું કાર્ય ત્યાર પછી અન્ય કોઇને અદ્યાપિ પર્યંત કર્યું નથી. કહેવાય છે કે હેમચંદ્રાચાર્ય એટલે બીજા પાણિનિ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા પતંજલિ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા મમ્મટ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા પિંગલાચાર્ય; હેમચંદ્રાચાર્ય એટલે બીજા કોશકાર અમરસિંહ; હેમચંદ્રાચાર્ય એટલે કાલિદાસ જેવા બીજા મહાકવિ. આમ હેમચંદ્રાચાર્યમાં કેટલા બધા સમર્થ મહાપુરુષોનો સમન્વય જોવા મળે છે! હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન', ‘કાવ્યાનુશાસન', ‘અભિધાનચિંતામણિ', ‘અનેકાર્થ-શબ્દસંગ્રહ', ‘દેશી નામમાલા', ‘યોગશાસ્ત્ર', ‘વીતરાગ સ્તોત્ર', ‘દ્વાત્રિંશિકા’ ઇત્યાદિ વિવિધ પ્રકારના સમર્થ, પ્રમાણભૂત ગ્રંથોની રચના કરીને સાહિત્યના ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. આમાંથી અહીં આપણે ફક્ત અપભ્રંશ વ્યાકરણના દૂહાસાહિત્યનો થોડો પરિચય કરીશું. હેમચંદ્રાચાર્યે સોલંકી મહારાજા સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી એક વર્ષ જેટલા સમયમાં ‘સિદ્ધહેમ-શબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી આપી હતી. એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપવા ઉપરાંત પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છેલ્લે આપવામાં આવ્યું છે. એમાં આઠમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186