Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 164
________________ અપભ્રંશ દૂહાનું સાહિત્ય ૧૫૫ જઇ ભગ્ગા પારક્કડા, તો સહિ મન્નુ પ્રિએણ; અહ ભગ્ગા અમ્યાં તણા, તો તે મારિઅડેણ. હે સખી ! યુદ્ધભૂમિ ઉપર જો દુશ્મનો ભાગી જવા લાગ્યા હશે તો મારા પ્રિયતમને લીધે જ, કારણ કે તે એવો શૂરવીર છે. પણ જો આપણા સૈનિકો ભાગવા લાગ્યા હશે તો સમજવું કે મારો પ્રિયતમ મરાયો હશે.] બિટ્ટીએ ! મઈ ભણિય તુ મા કરુ વંકી દિઢી; પુત્તિ ! સકણી ભદ્ધિ જિવં મારાં હિઅઇ પઇઢિ. હિ બેટી! મેં તને કહ્યું છે કે વાંકી દષ્ટિથી જો નહિ. હે પુત્રી ! એવી વાંકી નજર અણીદાર બાણની જેમ હૃદયમાં ભોંકાય છે અને મારી નાખે છે.] જે મહુ દિપણા દિઅહડા દઈએ પવસંતેણ; તાણ ગણંતિએ અંગુલિ જરિઆલ નહેણ. પ્રિવાસે ગયેલા પ્રિયતમે મને જેટલા દિવસનો વાયદો આપ્યો છે એટલા દિવસો આંગળીના વેઢે ગણતાં ગણતાં મારી આંગળીઓ નખ સાથે જર્જરિત થઈ ગઈ છે.] X સાય ઉપૂરિ તણ ઘરઇ, તલિ ઘāઈ રયણાઈ; સામિ સુભિચુ વિ પરિહરઈ, સમારેઇ ખલાઈ. સાગર પણ કેવો છે ! રત્નોને નીચે દબાવીને રાખે છે અને તણખલાને ઉપર તરતું રાખે છે. મારા શેઠ પણ સારા નોકરને તરછોડે છે અને આઘા રાખે છે અને લુચ્ચા નોકરને માનથી રાખે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186