SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ દૂહાનું સાહિત્ય ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ પામેલા વિક્રમના બારમા શતકના મહાન જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે કવિતા અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ચરિત્ર, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપશ્ચર્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકલ્યાણ, લોકકલ્યાણ અને આત્મકલ્યાણ-એમ જીવન અને સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં એક સાથે સાત દાયકા જેટલા દીર્ઘકાળ સુધી જેવું અને જેટલું ભગીરથ અને ચિરંજીવી કાર્ય કર્યું છે તેવું અને તેટલું કાર્ય ત્યાર પછી અન્ય કોઇને અદ્યાપિ પર્યંત કર્યું નથી. કહેવાય છે કે હેમચંદ્રાચાર્ય એટલે બીજા પાણિનિ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા પતંજલિ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા મમ્મટ; હેમચંદ્રાચાર્ય એટલે બીજા પિંગલાચાર્ય; હેમચંદ્રાચાર્ય એટલે બીજા કોશકાર અમરસિંહ; હેમચંદ્રાચાર્ય એટલે કાલિદાસ જેવા બીજા મહાકવિ. આમ હેમચંદ્રાચાર્યમાં કેટલા બધા સમર્થ મહાપુરુષોનો સમન્વય જોવા મળે છે! હેમચંદ્રાચાર્યે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન', ‘કાવ્યાનુશાસન', ‘અભિધાનચિંતામણિ', ‘અનેકાર્થ-શબ્દસંગ્રહ', ‘દેશી નામમાલા', ‘યોગશાસ્ત્ર', ‘વીતરાગ સ્તોત્ર', ‘દ્વાત્રિંશિકા’ ઇત્યાદિ વિવિધ પ્રકારના સમર્થ, પ્રમાણભૂત ગ્રંથોની રચના કરીને સાહિત્યના ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. આમાંથી અહીં આપણે ફક્ત અપભ્રંશ વ્યાકરણના દૂહાસાહિત્યનો થોડો પરિચય કરીશું. હેમચંદ્રાચાર્યે સોલંકી મહારાજા સિદ્ધરાજ જયસિંહની વિનંતીથી એક વર્ષ જેટલા સમયમાં ‘સિદ્ધહેમ-શબ્દાનુશાસન' નામના વ્યાકરણની રચના કરી આપી હતી. એમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપવા ઉપરાંત પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છેલ્લે આપવામાં આવ્યું છે. એમાં આઠમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy