Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 158
________________ જલ જીવન જગમાંહિ જમીન ભલે ઊંચી નીચી હોય, પાણીની સપાટી તો ચારે બાજુ એકસરખી જ હોય. એ સપાટીના આધારે પાયાના પથ્થરો ગોઠવવાનું નક્કી થયું. એટલે વિશાળ પથ્થરોવાળી આખી આકૃતિ સમતોલ બની ગઇ. આમ, વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ પાણીનો માનવજાત ઉપર ઓછો ઉપકાર નથી. તબીબી વિજ્ઞાને પણ પાણીના તત્ત્વોનું પૃથક્કરણ કરીને ઘણાં તારણો કાઢઢ્યાં છે. પાણીમાં માણસને, લાકડાને, વજનદાર જહાજોને તરતાં રાખવાનો સ્વભાવ છે અને ડૂબાડી દેવાનો પણ સ્વભાવ છે. પાણીમાં કચરો પોતાનામાં સમાવી લેવાનો ગુણ છે અને કચરો પોતાના ઉ૫૨ કે કિનારે મૂકી દેવાનો પણ ગુણ છે. પાણી જીવતા માણસને ડૂબાડે છે અને મડદાંને તરતું રાખે છે. પાણી સ્વભાવે શીતળ છે, પણ ગરમ થઇને ઉકળે છે ત્યારે માણસને દઝાડી પણ શકે છે. ઉકળતા પાણી વડે ચૂલો ઓલવી શકાય છે, આગ બૂઝવી શકાય છે. પાણીમાં પોતાનામાં અગ્નિને-ઉષ્ણતાને ધારણ કરવાની શક્તિ છે. પાણી ઉષ્ણતાની સપાટી વટાવી હાથમાં પણ ન પકડી શકાય એવી સૂક્ષ્મ વરાળ બની અદશ્ય થઇ શકે છે અને શીતળતાની સપાટી વટાવી હાથ-પગમાં ચાંદા પાડી શકે એવા સ્થૂલ હિમ કે બરફનું રૂપ ધારણ કરી શકે છે. વાદળાનું પાણી લખોટા જેવા કરાનું રૂપ લઇને ખુલ્લામાં ચાલતા માણસ કે પશુને માથામાં સતત ધડ ધડ વાગીને ઇજા પહોંચાડીને મૃત્યુ સુધી લઇ જઇ શકે છે. ૧૪૯ જળમાં એક એવો સૂક્ષ્મ મોહક ગુણ છે કે જે ક્યારેક કોઇકમાં ઉન્માદ પ્રગટાવે છે. નાનાં બાળકોમાં જળનું આકર્ષણ ઘણું હોય છે. ઓસ્ટ્રેલિયામાં એક ભાઇએ મને કહ્યું હતું કે એમની ચારેક વર્ષની દીકરીને નળ ચાલુ કરીને પોતાનો હાથ નળ નીચે સતત ધરી રાખવાનું જાણે વ્યસન થઇ ગયું છે. નળ બંધ કરી એનો હાથ લઇ લઇએ તો ચીસાચીસ કરી મૂકે છે. જેમ ભેંસોને પાણીમાંથી બહાર કાઢવાનું અઘરું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186