Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 94
________________ ઑસ્ટ્રેલિયા ૮૫ આધારે દિશા નક્કી કરી વહાણો હંકારતા. દક્ષિણ દિશામાં Southern Cross નામના તારા છે (એને આપણે જયવિજય તરીકે, સ્વસ્તિક નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ). એટલે ખલાસીઓ ઑસ્ટ્રેલિયા માટે The Land of Southern Cross એવું નામ પ્રયોજતા. એ નામ પણ પ્રચલિત થયું હતું. ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રધ્વજમાં સ્વસ્તિક નક્ષત્ર છે. વસવાટ સ્પેન, પોર્ટુગલ, હોલેન્ડ વગેરે દેશોના સાગર-સફારીઓ ઑસ્ટ્રેલિયા શોધી આવ્યા, પરંતુ જ્યાં પહોંચતાં આઠદસ મહિના લાગે એવા દૂરના દેશમાં સંસ્થાના સ્થાપી આધિપત્ય જમાવવામાં તેઓને રસ પડ્યો નહીં. ઇંગ્લેન્ડે એ માટે બુદ્ધિ દોડાવી. આમ તો ઑસ્ટ્રેલિયા જઈને કયો અંગ્રેજ રહેવાનો હતો? પરંતુ જે કેદીઓને દેશનિકાલની સજા થઈ છે એ કેદીઓને તો જ્યાં લઈ જવામાં આવે, ત્યાં જવું પડે. તેઓને જો ઘણે દૂર સુધી કાયમ માટે મોકલી દેવામાં આવે તો ત્યાંથી ભાગીને તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફરે નહીં. એટલે ૭૦૦ જેટલા કેદીઓને ત્યાં મોકલવાની યોજના થઈ. તેમને લઈ જવા, ત્યાં વસાવવા અને દેખભાળ રાખવા થોડા કર્મચારીઓ જોઈએ. એની પણ જોગવાઈ થઈ. એમ કરતાં અગિયાર જેટલાં વહાણોમાં તેમને મોકલવાનું નક્કી થયું. એ કાફલાના સરદાર તરીકે નૌકા ખાતાના કેપ્ટન આર્થર ફિલિપની નિમણૂક થઈ. એમને ન્યૂ સાઉથ વેલ્સના ગવર્નર બનાવવામાં આવ્યા. આવો ઊંચો હોદ્દો મળતાં તેઓ ત્યાં જવા લલચાયા. ઇ. સ. ૧૭૮૭ના મે મહિનાની ૧૩મી તારીખે ઈંગ્લેન્ડથી આ વહાણો ઊપડ્યાં અને ૧૭૮૮ના જાન્યુઆરીની ૧૮મીએ તે ઑસ્ટ્રેલિયાના બોટની ઉપસાગરમાં આવી પહોંચ્યાં.પરંતુ નક્કી કરેલું એ સ્થળ સલામતીની દષ્ટિએ અને ગુનેગારોના વસવાટ માટે આર્થર ફિલિપને યોગ્ય ન લાગ્યું. તેઓ ત્યાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186