Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 151
________________ ૧૪૨ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ તળાવો જે ન્હાનાં અને છીછરાં થઈ ગયાં છે, એવાં તળાવોની પુનર્રચના થવી જરૂરી છે. જે પ્રજા માત્ર ઉપયોગિતાવાદી બની જાય છે અને સૌન્દર્યદષ્ટિ ગુમાવી બેસે છે તેને પોતાની જડતાની કિંમત ભવિષ્યમાં ચૂકવવાનો વારો આવે જ છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચ મહાભૂતોમાં જળનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ઠેઠ પ્રાચીનકાળથી ઋષિમુનિઓ દિવસે કે રાત્રે, અમુક માસ કે ઋતુમાં પડતા વરસાદનાં પાણીનું અધ્યયન કરતા. ભારતમાં વરાહમિહિરે અને યુરોપમાં હિપોકેટસે પાણી વિશે ગ્રંથ લખ્યા છે. આપણી ધરતીમાં આશરે એક ભાગ જમીન અને ત્રણ ભાગ પાણીના પ્રમાણને કારણે જીવસૃષ્ટિનાં અસ્તિત્વ અને નિર્વાહ શક્ય છે. આમ છતાં પાણીની સમસ્યાઓ જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા સ્વરૂપે વારંવાર ઊભી થાય છે. ક્યાંક પાણીની અછત, તો ક્યાંક પૂર, ક્યાંક અનાવૃષ્ટિ તો ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક પીવાના પાણીની સમસ્યા, તો ક્યાંક દૂષિત પાણીથી થતા રોગચાળાના પ્રશ્નો ઊભા થતા રહે છે. વર્તમાન સમયમાં જલસંચય માટેની જાગૃતિ આવકારદાયક છે, કારણ કે દુનિયાની વધતી જતી વસતિને પહોંચી વળવા વધુ અને વધુ જલસંગ્રહની આવશ્યકતા ઊભી થતી જાય છે. કેટલાંયે રાષ્ટ્રોમાં સરકારી ખાતાઓ તરફથી વખતોવખત જળનીતિ જાહેર કરવામાં આવે છે. પાણીના પુરવઠા માટે વૈશ્વિક સ્તરે હવે વિચારણા થવા લાગી છે. ફક્ત એના આયોજન માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ કાર્યરત બની છે. કેટલાયે દેશોમાં પાણીની વ્યવસ્થા ત્યાંની સરકારે ખાનગી કંપનીઓને સોંપી છે, એના મોટા લાભ છે અને ગેરલાભ પણ છે. એકવીસમી સદીમાં મોટા જલસંચયો નહિ હોય તો કેટલાયે માણસોને પાણી માટે ટળવળવાનો વારો આવી શકે છે. નદીઓ ઉપર વારિવારણ (બંધો બાંધવાથી દુનિયાના ઘણા દેશો સમૃદ્ધ થયા છે. ઘણા સૂકા પ્રદેશો ફળદ્રુપ થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186