Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 153
________________ ૧૪૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ માટે જો વ્યવસ્થિત આયોજન ન થાય તો અછત દ્વારા અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દુનિયાભરમાં જે રીતે વસતિ વધતી રહી છે તે રીતે જોતાં ફક્ત પીવાના પાણીની જોગવાઈ પણ યોજનાબદ્ધ રીતે કરવાની આવશ્યકતા રહે છે. ગીચ વસતિ અને પાણીની ન્યૂનતાવાળા એશિયાઈ દેશોમાં દીર્ઘકાલીન આયોજન હવે અનિવાર્ય બનતું જાય છે. કેટલાક દેશો સમુદ્રના પાણીને ક્ષારયુક્ત શુદ્ધ કરીને એનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે, પણ તેમ કરવા સિવાય ત્યાં છૂટકો નથી. - વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સાધનો અને આધુનિક પદ્ધતિઓ વડે હવે તો રણપ્રદેશને લીલો, રળિયામણો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરબ દેશો, ઇજિપ્ત, ઈઝરાયેલ વગેરેમાં ચાર-પાંચ દાયકામાં કેટલો બધો રણવિસ્તાર શીતળ, રહેવા લાયક આકર્ષક બનાવાયો છે એ તો ત્યાં ફરીએ તો નજરે જોવા મળે છે. આ ધરતી પાસે હજુ શતાબ્દીઓ સુધી વસવાટ વધારી શકાય એટલી બધી કોરી કુંવારી રેતાળ જમીન છે. જૂના વખતનાં ઘરોમાં પ્રવેશતાં જ પાણિયારું હોય છે. પાણિયારું ઘરની શોભા ગણાય. મોટા ઘરોમાં મોટાં પાણિયારાં રહેતાં. પાણીથી ભરેલાં માટલાં-બેઠાં હારબંધ જોવા મળે. ઉનાળામાં દસ પંદર દિવસ પાણી ન મળે તો પણ ઘરના સભ્યોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે. પાણિયારું એટલે જીવનના અસ્તિત્વનો આધાર. દીવો પાણિયારે કરવામાં આવે. શ્રીમંત લોકો ઘરમાં ટાંકું કરાવે. ટાંક એટલે ભૂગર્ભ ટાંકી, નાના કૂવા જેવી પણ તે હોય. એમાં નેવાનાં ચોખ્ખાં નીર એકત્રિત કરી લેવામાં આવે. ટાંકુ ભરેલું હોય એટલે ઉનાળામાં નિશ્ચિતતા. આજે કૂવાની જેમ ટાંકુ પણ કાલગ્રસ્ત બની ગયું છે. પરંતુ એનો બોધપાઠ ભૂલવા જેવો નથી કે ભવિષ્યના કપરા દિવસોનો વિચાર કરી આજથી એનું આયોજન કરી લો. જીવનશૈલી બદલાઈ છે, આધુનિક સાધનોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186