SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૨ માટે જો વ્યવસ્થિત આયોજન ન થાય તો અછત દ્વારા અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દુનિયાભરમાં જે રીતે વસતિ વધતી રહી છે તે રીતે જોતાં ફક્ત પીવાના પાણીની જોગવાઈ પણ યોજનાબદ્ધ રીતે કરવાની આવશ્યકતા રહે છે. ગીચ વસતિ અને પાણીની ન્યૂનતાવાળા એશિયાઈ દેશોમાં દીર્ઘકાલીન આયોજન હવે અનિવાર્ય બનતું જાય છે. કેટલાક દેશો સમુદ્રના પાણીને ક્ષારયુક્ત શુદ્ધ કરીને એનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે, પણ તેમ કરવા સિવાય ત્યાં છૂટકો નથી. - વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સાધનો અને આધુનિક પદ્ધતિઓ વડે હવે તો રણપ્રદેશને લીલો, રળિયામણો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરબ દેશો, ઇજિપ્ત, ઈઝરાયેલ વગેરેમાં ચાર-પાંચ દાયકામાં કેટલો બધો રણવિસ્તાર શીતળ, રહેવા લાયક આકર્ષક બનાવાયો છે એ તો ત્યાં ફરીએ તો નજરે જોવા મળે છે. આ ધરતી પાસે હજુ શતાબ્દીઓ સુધી વસવાટ વધારી શકાય એટલી બધી કોરી કુંવારી રેતાળ જમીન છે. જૂના વખતનાં ઘરોમાં પ્રવેશતાં જ પાણિયારું હોય છે. પાણિયારું ઘરની શોભા ગણાય. મોટા ઘરોમાં મોટાં પાણિયારાં રહેતાં. પાણીથી ભરેલાં માટલાં-બેઠાં હારબંધ જોવા મળે. ઉનાળામાં દસ પંદર દિવસ પાણી ન મળે તો પણ ઘરના સભ્યોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે. પાણિયારું એટલે જીવનના અસ્તિત્વનો આધાર. દીવો પાણિયારે કરવામાં આવે. શ્રીમંત લોકો ઘરમાં ટાંકું કરાવે. ટાંક એટલે ભૂગર્ભ ટાંકી, નાના કૂવા જેવી પણ તે હોય. એમાં નેવાનાં ચોખ્ખાં નીર એકત્રિત કરી લેવામાં આવે. ટાંકુ ભરેલું હોય એટલે ઉનાળામાં નિશ્ચિતતા. આજે કૂવાની જેમ ટાંકુ પણ કાલગ્રસ્ત બની ગયું છે. પરંતુ એનો બોધપાઠ ભૂલવા જેવો નથી કે ભવિષ્યના કપરા દિવસોનો વિચાર કરી આજથી એનું આયોજન કરી લો. જીવનશૈલી બદલાઈ છે, આધુનિક સાધનોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy