Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 152
________________ જલ જીવન જગમાંહિ સિંચાઇની વિવિધ યોજનાઓ અમલમાં આવી છે. અલબત્ત, એનું આયોજન રાજકીય નહિ પણ પર્યાવરણ, લોકોનું સ્થળાંતર વગેરે પ્રશ્નોની વિચારણા સહિત વૈજ્ઞાનિક દષ્ટિથી થવું જોઇએ. તેમ ન થાય તો પાણીના સંચય અને વહેંચણીના પ્રશ્નો સંઘર્ષ, વિગ્રહ અને રાષ્ટ્રો વચ્ચેનાં યુદ્ધોના નિમિત્ત બની શકે છે. એક ચિંતકે કહ્યું છે કે Either the world's water needs will be met, or the inevitable result will be mass starvation, mass epidemic and mass poverty, greater than anything we know to-day. આથી જ દુનિયાના કેટલાક દેશોમાં પાણીના અધ્યયન, સંશોધન, આયોજન માટે વિવિધ દૃષ્ટિકોણથી વિચારણા થઇ રહી છે. ભવિષ્યમાં પીવાનું પાણી પણ કંપનીઓ દ્વારા જુદાં જુદાં ઘટક તત્ત્વોવાળું અને ગુણવત્તાવાળું ભિન્નભિન્ન નામથી પ્રચારમાં આવશે. આધુનિક કાળમાં તો પાણીનું વૈકલ્પિક આયોજન પણ કરી રાખવું જોઇએ. પાણીની સમસ્યા યુદ્ધના વખતમાં અચાનક વિકટ બની જાય છે. સેનાને રણમોરચે પાણીનો પુરવઠો બરાબર મળવો જ જોઇએ. દુશ્મનોના બોમ્બમારાથી ઠેર ઠેર લાગેલી આગને ઓલવવા માટે પાણી જોઇએ જ. પરંતુ દુશ્મનની સેનાએ બોમ્બ કે રોકેટ દ્વારા, અજાણતાં કે ઇરાદાપૂર્વક પાણીની મોટી પાઇપોને તોડી નાંખી હોય તો મોટા શહેરોમાં પાણીના પુરવઠાની ભયંકર સમસ્યા અચાનક ઊભી થઇ શકે છે. એ દષ્ટિએ કૂવા, ડંકી વગેરેને પૂરતા પ્રમાણમાં સક્રિય રાખવાં જોઇએ એવો એક મત છે. ૧૪૩ પીવાના પાણી કરતાં પણ ખેતીવાડી અને ઉદ્યોગોમાં પાણીનો વપરાશ વધી ગયો છે. કોશનાં પાણી બંધ થયાં અને નીક-નહેરનાં પાણી ચાલુ થયાં. એથી ખેતી સુધરી છે. પાક સારો થાય છે. પણ પાણીનો વપરાશ પણ ઘણો જ વધ્યો છે. એ વધતા જતા વપરાશને પહોંચી વળવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186