Book Title: Samprat Sahchintan Part 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 146
________________ જલ જીવન જગમાંહિ કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ'માં લખ્યું છે : જલ વિણ કો જીવઈ નહિ, જલ જીવન જગમાંહિ. પાણી વિના કોઈ જીવી શકતું નથી. એટલે પાણી એ જ જીવન છે. સંસ્કૃત ભાષામાં “જીવન' શબ્દનો એક અર્થ થાય છે: “પાણી'. એટલે જીવન' શબ્દ જલ'ના પર્યાયરૂપ છે. જ્યાં જીવન છે ત્યાં જલ છે. જ્યાં જલ છે ત્યાં જીવન છે. જલમાં જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવવાનું લક્ષણ છે. પાણી માટે નીર, વારિ, અંબુ, સલિલ, જળ ઈત્યાદિ શબ્દોનો પ્રત્યેકનો વિશિષ્ટ અર્થ પણ થાય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં થોડે થોડે વર્ષે અલ્પવૃષ્ટિને કારણે દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ વેળાસર પાણી, અનાજ અને ઘાસચારાનો પ્રબંધ ન કરે તો ભયંકર દુકાળના માઠાં પરિણામો જોવાનો વખત આવે છે. જૂના વખતમાં પણ છપ્પનની સાલમાં દુકાળ પડ્યો હતો. એટલે છપ્પનિયો' શબ્દ જ દુકાળ માટે પ્રચલિત રહ્યો છે. ટ્રેનો, ટ્રકો, ટેકરો વગેરે દ્વારા ખોરાકપાણીની હેરફેર ઝડપથી થઈ શકતી હોવાથી દુકાળની પરિસ્થિતિને હળવી બનાવી શકાય છે. જૂના વખતમાં આવાં સાધનો નહોતાં એટલે દુકાળમાં હજારો માણસો અને ઢોરો અનાજ-પાણી વિના ટળવળીને મૃત્યુ પામતાં હતાં. ભારતની સ્વતંત્રતા પૂર્વે, બ્રિટિશ શાસનકાળ દરમિયાન બિહાર-બંગાળના દુકાળમાં લાખો માણસો મૃત્યુ પામ્યા હતા, જેના આંકડા બ્રિટિશ સરકારે બહુ જાહેર થવા દીધા નહોતા. વર્તમાન સમયમાં દુનિયાભરનાં પ્રચાર માધ્યમો દ્વારા, પત્રકારોની જાતતપાસ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિની જાહેરાત, દશ્યો સાથે, આખી દુનિયામાં થઇ જાય છે. એટલે સરકારો હવે કશું છુપાવી શકતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186