SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ જલ જીવન જગમાંહિ કવિ પદ્મનાભે “કાન્હડદે પ્રબંધ'માં લખ્યું છે : જલ વિણ કો જીવઈ નહિ, જલ જીવન જગમાંહિ. પાણી વિના કોઈ જીવી શકતું નથી. એટલે પાણી એ જ જીવન છે. સંસ્કૃત ભાષામાં “જીવન' શબ્દનો એક અર્થ થાય છે: “પાણી'. એટલે જીવન' શબ્દ જલ'ના પર્યાયરૂપ છે. જ્યાં જીવન છે ત્યાં જલ છે. જ્યાં જલ છે ત્યાં જીવન છે. જલમાં જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવવાનું લક્ષણ છે. પાણી માટે નીર, વારિ, અંબુ, સલિલ, જળ ઈત્યાદિ શબ્દોનો પ્રત્યેકનો વિશિષ્ટ અર્થ પણ થાય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં થોડે થોડે વર્ષે અલ્પવૃષ્ટિને કારણે દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ વેળાસર પાણી, અનાજ અને ઘાસચારાનો પ્રબંધ ન કરે તો ભયંકર દુકાળના માઠાં પરિણામો જોવાનો વખત આવે છે. જૂના વખતમાં પણ છપ્પનની સાલમાં દુકાળ પડ્યો હતો. એટલે છપ્પનિયો' શબ્દ જ દુકાળ માટે પ્રચલિત રહ્યો છે. ટ્રેનો, ટ્રકો, ટેકરો વગેરે દ્વારા ખોરાકપાણીની હેરફેર ઝડપથી થઈ શકતી હોવાથી દુકાળની પરિસ્થિતિને હળવી બનાવી શકાય છે. જૂના વખતમાં આવાં સાધનો નહોતાં એટલે દુકાળમાં હજારો માણસો અને ઢોરો અનાજ-પાણી વિના ટળવળીને મૃત્યુ પામતાં હતાં. ભારતની સ્વતંત્રતા પૂર્વે, બ્રિટિશ શાસનકાળ દરમિયાન બિહાર-બંગાળના દુકાળમાં લાખો માણસો મૃત્યુ પામ્યા હતા, જેના આંકડા બ્રિટિશ સરકારે બહુ જાહેર થવા દીધા નહોતા. વર્તમાન સમયમાં દુનિયાભરનાં પ્રચાર માધ્યમો દ્વારા, પત્રકારોની જાતતપાસ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિની જાહેરાત, દશ્યો સાથે, આખી દુનિયામાં થઇ જાય છે. એટલે સરકારો હવે કશું છુપાવી શકતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002056
Book TitleSamprat Sahchintan Part 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy