Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 228
________________ ૨૦૯ આવશ્યકી સામાચારી) ગાથા ઃ ૩૮ ઈચ્છાકાર સામાચારીનું પાલન, ઈર્યાસમિતિનું પાલન આદિ સહકારી કારણ છે. તેથી કોઈ સાધુ “આવર્સીટી કહી ઉપાશ્રય આદિથી બહાર ગયેલા હોય અને ઈર્યાસમિતિ આદિનું સમ્યકુ પાલન ન કરતા હોય તો, જોકે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થતું નથી, કારણ કે સહકારી એવું ઈચ્છાકારાદિનું પાલન નથી, તો પણ તેનો “આવશ્યકી પ્રયોગ આવશ્યક સામાચારીરૂપે સ્વીકારી શકાશે. જેમ ઘટનું કારણ માટી છે, છતાં સહકારી કારણ દંડ, ચક્ર, ચીવર આદિ ન હોય તો માટીમાંથી ઘટરૂ૫ ફળની પ્રાપ્તિ થતી નથી, તો પણ માટી ઘટનું કારણ છે, એમ કહેવાય છે, તેમ આવશ્યક સામાચારી કહી શકાશે. માટે આવશ્યક સામાચારીના લક્ષણની કુક્ષિમાં ઈર્યાસમિતિનું પાલન આદિ સર્વ અંગો ગ્રહણ કરવાની જરૂર નથી. તેને ગ્રંથકાર કહે છે કે, તે વાત ઉચિત નથી; કેમ કે તેટલા સહકારીની કલ્પના કરવા કરતાં તે સર્વને આવશ્યકી સામાચારીના અંગરૂપે સ્વીકારીને વિશિષ્ટ એવા “આવશ્યકી પ્રયોગને આવશ્યક સામાચારી સ્વીકારવી ઉચિત છે. આશય એ છે કે, નિર્જરા પ્રત્યે ‘આવશ્યકી’ એ પ્રકારના પ્રયોગરૂપ આવશ્યક સામાચારી કારણ છે અને તે આવશ્યક સામાચારી નિર્જરારૂપ કાર્ય ત્યારે કરી શકે કે જ્યારે ઈચ્છાકારાદિ સહકારી બને. આમ માનીએ તો કાર્યકારણભાવની સંગતિ કરવામાં આવશ્યક સામાચારીકૃત નિર્જરા પ્રત્યે અનેક સહકારી કારણોની કલ્પના કરવી પડે છે, તેથી તે રીતે કાર્યકારણભાવ સ્વીકારવામાં ગૌરવ દોષ છે. અને તેના બદલે, આવશ્યકી” વચનપ્રયોગ ઈચ્છાકારાદિના પાલનથી યુક્ત હોય તો આવશ્યક સામાચારી છે અને તે આવશ્યકી સામાચારી નિર્જરાનું કારણ થાય છે, તેમ સ્વીકારવાથી, આવશ્યક સામાચારીના અંગભૂત ઈચ્છાકારાદિ સર્વને સ્વીકારીને એક કાર્યકારણભાવ સ્થાપિત થાય છે. તેથી તે સર્વ અંગોથી યુક્ત એવી આવશ્યકી સામાચારી નિર્જરાનું કારણ છે અને તે અંગવિકલ હોય તો નિર્જરાનું કારણ નથી, તેમ માનવાથી અનેક સહકારી કારણ માનવાકૃત ગૌરવદોષ નથી. વળી, “આવશ્યકી' એટલો શબ્દપ્રયોગ માત્ર આવશ્યક સામાચારી નથી, પરંતુ સર્વ અંગોથી યુક્ત એવો આવશ્યકી' પ્રયોગ સામાચારી છે, એ વાત, ગ્રંથકાર માત્ર પોતાની બુદ્ધિથી નથી કહેતા, પરંતુ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના પંચાશકના વચનથી પણ સ્થાપન થાય છે કે, આવશ્યકી' એ પ્રકારનો માત્ર પ્રયોગ કરવો તે આવશ્યક સામાચારી નથી, પરંતુ સર્વ અંગોથી યુક્ત એવો આવશ્યકી' પ્રયોગ કરવો, તે આવશ્યક સામાચારી છે. અહીં પંચાશકની ગાથાનો અર્થ આ પ્રમાણે છે : માત્ર “આવશ્યકી” એટલો પ્રયોગ સામાચારીનો વિષય નથી અર્થાત્ “આવશ્યકી” એટલો માત્ર પ્રયોગ અર્થ વગરનો છે. વળી, તે પ્રયોગ કેવળ અર્થ વગરનો નથી, પરંતુ મૃષાવચન પણ છે, માટે દોષરૂપ પણ છે. આ રીતે આવશ્યક સામાચારીનાં અન્ય અંગોથી રહિત માત્ર વચનપ્રયોગ અર્થ વગરનો છે અને દોષવાળો છે એમ બતાવીને હવે કહે છે કે, બુદ્ધિશાળી પુરુષોએ શાસ્ત્રવચનથી આવશ્યકીનું લક્ષણ આ પ્રકારે જાણવું સર્વ અંગોથી યુક્ત એવું સામાચારીનું લક્ષણ પંચાશકમાં ગ્રંથકારે પૂર્વમાં બતાવ્યું એ પ્રકારે જાણવું. વળી અહીં પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ બતાવે છે કે, “સંપૂર્ણ અંગોથી યુક્ત જ આવું સામાચારીનું વચન જાણવું. તેમાં યુક્તિ શું ? તો બતાવે છે કે, જે કારણથી આગમમાં વ્યતિરેકથી કહેવાયું છે; અને વ્યતિરેકથી જે કહેવાયું છે, તે જ બીજી ગાથામાં એટલે કે ૧૨મા પંચાશકની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296