Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 263
________________ નૈષેધિકી સામાચારી / ગાથા : ૪૫ “સુસમાધિવાળા સંયમીઓ ગ્રીષ્મઋતુમાં આતાપના લે છે, હેમંતઋતુમાં ખુલ્લા રહે છે અને વર્ષાઋતુમાં સંલીન ગાત્રવાળા થઈને રહે છે.” ૨૪૪ આ દશવૈકાલિક સૂત્રના પાઠનો આશય પણ એ જ છે કે, સાધુને વસતિમાં ‘નિસીહિ’ પ્રયોગ કર્યા પછી ક્ષણભર પણ પ્રમાદ કરવાનો નથી, અને સ્વાધ્યાયાદિમાં જેઓ યત્ન કરી શકે તેવા નથી અને જો વસતિમાં સ્વસ્થતાથી બેસે તો તેમનો સંયમયોગમાં દૃઢ પ્રયત્ન પ્રવર્તે નહિ, પરંતુ શરીરની સુખાસિકામાં પ્રવર્તે, માટે તેવા સાધુઓ શરીરની અનુકૂળતા પ્રત્યે નિરપેક્ષભાવ પ્રગટ કરવા અર્થે, પ્રમાદના નિવારણ અર્થે ગ્રીષ્મ આદિ ઋતુમાં આતાપનાદિ લે, જેથી સંયમયોગમાં દૃઢ યત્ન પ્રવર્તે.II૪૪॥ અવતરણિકા : नन्विदं भावनैषेधिक्याः फलम्, 'नैषेधिकी' इति शब्दरूपप्रतिज्ञायाः पुनः किमायातम् ? इत्यत आहઅવતરણિકાર્ય : ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, ભાવનૈષધિકીનું આ ફળ છે=પૂર્વમાં કહ્યું એ નિર્જરારૂપ ફળ છે. ‘નિસીહિ’ એ પ્રકારની શબ્દરૂપ પ્રતિજ્ઞાથી વળી શું પ્રાપ્ત થયું ? એથી કરીને કહે છે - ભાવાર્થ: પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, પૂર્વ ગાથામાં તમે સ્થાપન કર્યું કે, દઢ પ્રયત્નથી વસતિના અવસ્થાનમાં ઈષ્ટરૂપ ફળ થાય છે. એ કથનથી એ પ્રાપ્ત થયું કે, સાધુ ‘નિસીહિ' પ્રયોગ પછી દૃઢ પ્રયત્ન કરે તો જ નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરે છે, પણ ‘નિસીહિ પ્રયોગ માત્ર કરે એટલાથી જ ફળ મળતું નથી. એનાથી અર્થથી એ પ્રાપ્ત થયું કે, જ્યારે સાધુ ભાવનૈષધિકીમાં વર્તે=ગુપ્તિને અનુકૂળ વીર્ય ઉલ્લસિત કરે તેવો ‘નિસીહિ’ પ્રયોગના ઉપયોગમાં વર્તે, ત્યારે તેનાથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ ધ્યાન કરતી વખતે કે વસતિમાં પ્રવેશ કરતી વખતે, ‘નિસીહિ’ શબ્દપ્રયોગરૂપ પ્રતિજ્ઞા કરે છે, તેનાથી કોઈ ફળ દેખાતું નથી, માટે નિર્જરાના અર્થીએ ભાવનૈષધિકીમાં યત્ન કરવો જરૂ૨ી છે, પરંતુ ‘નિસીહિ’ એ પ્રકારના શબ્દપ્રયોગમાત્રથી કંઈ ફળ મળતું નથી, માટે તે વ્યર્થ છે. આ પ્રકારની શંકાના સમાધાન માટે ગ્રંથકાર કહે છે – ગાથા: हो पइण्णाभंगे भीरु अभावा अओ दढो जत्तो । तप्पुव्विया य किरिआ फला य तब्भाव वुड्ढकरी ।। ४५ ।। છાયા : भवति प्रतिज्ञाभङ्गे भीरुकभावादतो दृढो यत्नः । तत्पूर्विका च क्रिया फला च तद्भाववृद्धिकरी ।।४५।। Jain Education International ।। સિદિયા સમ્મત્તા|| નૈષેધિકી સામાચારી સમાપ્ત થઈ. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296