Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 286
________________ ૨૬૭ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૫૦ આનાથી એ ફલિત થાય કે, સાધુને સંયમ ગ્રહણ કર્યા બાદ માનસિક, વાચિક કે કાયિક કોઈપણ ક્રિયા કરવાની હોય તે ગુણવાન એવા ગુરુને પૂછ્યા વિના કરાય નહિ, તેથી શ્વાસોચ્છવાસ આદિ જે ક્રિયાઓ પ્રતિક્ષણ પૂછી શકાય તેવી નથી, તે પણ બહુવેલના આદેશ દ્વારા પૂછે છે, જેથી ઉપયોગપૂર્વક પૂછનારને ગુણવાનના પારતંત્રરૂપ શુભભાવ થાય છે. અને જે ક્રિયાઓ કરતાં પૂર્વે અવશ્ય પૂછી શકાય છે, તે ક્રિયાઓના પ્રારંભ પૂર્વે શિષ્ય ગુરુને પૂછે છે, જેથી પોતાની ક્રિયા નિર્જરાનું કારણ બને તે રીતે ગુરુ ઉચિત વિધિને જણાવે છે, તેથી શિષ્ય અનાભોગથી પણ નિર્જરાનું કારણ ન બને તેવી પ્રવૃત્તિ કરતો નથી. તેમ જેને વિધિનું જ્ઞાન છે, તે પણ ગુરુને પૂછીને તે ક્રિયા કરવામાં સુદઢ પ્રયત્ન ઉત્પન્ન થાય તે રૂપ વિશેષ પ્રયોજનથી પણ સાક્ષાત્ પૂછી શકાય તેવા કાર્યમાં આપૃચ્છા કરે છે. આવા પ્રકારનું વિશેષ પ્રયોજન જે ક્રિયાઓમાં છે, તે સર્વ ક્રિયાઓ સાક્ષાત્ પૂછીને કરવાની છે, અને આ રીતે સર્વ ક્રિયાઓ આપૃચ્છાપૂર્વક કરવામાં આવે તો તે કરાતી સર્વ ક્રિયાઓ સર્વજ્ઞના વચનથી નિયંત્રિત હોવાના કારણે એકાંતે નિર્જરાનું કારણ બને છે, અને આથી સાધુની શ્વાસોચ્છવાસ લેવાની ક્રિયા પણ નિર્જરાનું કારણ છે. પંચાશક-૧૨, ગાથા-૨૯માં કહ્યું કે, જો શિષ્ય વડે ગુરુને આપૃચ્છા કરવામાં ન આવે તો આ સર્વનો વિપર્યય થાય છે. તેનાથી એ કહેવું છે કે, આપૃચ્છા સામાચારીથી જે શુભભાવ થાય છે અને તેથી શિષ્યને જે નિર્જરાદિ થાય છે, તે સર્વ ફળ ગુરુને આપૃચ્છા નહીં કરનાર શિષ્યને મળતું નથી; અને આપૃચ્છા વગર બાહ્ય કાર્ય વિધિપૂર્વક કરે તો પણ માત્ર બાહ્ય કાર્યની સમાપ્તિરૂપ ફળ મળે છે, અને ગુણવાન ગુરુને પરતંત્ર થયા વિનાની કરાયેલી ક્રિયા સર્વજ્ઞના પાતંત્ર્ય વિનાની હોવાથી અકલ્યાણનું કારણ છે. ITI. અવતરણિકા: तदेवं शुभभावनिबन्धनत्वेन सामान्यापृच्छा समर्थिता, इदानीं मर्यादामूलत्वेन तां समर्थयति - અવતરણિકાર્ય : આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, શુભભાવના કારણપણા વડે સામાન્ય આપૃચ્છા સમર્થન કરાઈ. હવે મર્યાદામૂલપણા વડે તેને=આપૃચ્છાને, સમર્થન કરે છે. ગાથા: विहिए कज्जे कज्जो अहवा णिस्संकियं परमजत्तो । इय बहुवेलापुच्छा दिट्ठा सामण्णकज्जे वि ।।५०।। છાયા : विहिते कार्ये कार्योऽथवा निःशङ्कितं परमयत्नः । इति बहुवेलापृच्छा दृष्टा सामान्यकार्येऽपि ।।५० ।। Tી સાપુચ્છ સમ્મત્તા | આપૃચ્છા સામાચારી સમાપ્ત થઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296