Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 265
________________ ૨૪૬ નૈષેધિકી સામાચારી | ગાથા : ૪૫ ફળવાળી છે, અને તે ભાવ=ક્ષાયિકભાવ પરમપદનું કારણ છે, એ પ્રસ્તુત સામાચારીના કથનમાં અનુક્ત હોવા છતાં પણ જાણવું. ‘આવશ્યકી’ એ પ્રકારની પ્રતિજ્ઞાનું ફળ પણ આ જ દિશાથી ભાવન કરવું, એ પ્રકારે દિશાસૂચન છે. ।।૪૫।। * ‘અનુત્તમપિ’ માં ‘પિ’ થી એ કહેવું છે કે, ક્ષયોપશમભાવથી કરાતી ક્રિયાથી તે ભાવની વૃદ્ધિ થાય છે એ રૂપ કહેલું કથન તો છે જ, પણ ક્ષાયિકભાવ ૫૨મપદનું કારણ છે, એ રૂપ નહીં કહેલું એવું પણ કથન જાણવું. ભાવાર્થ : અવતરણિકામાં કહેલ શંકાકારનો આશય એ છે કે, ભાવથી ગુપ્તિના પરિણામવાળો જીવ થાય ત્યારે જ નૈષધિકી સામાચા૨ીનું નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે, તો પણ ‘નિસીહિ’ એ પ્રકારના શબ્દપ્રયોગથી શું ફળ પ્રાપ્ત થાય ? અર્થાત્ કોઈ ફળ નથી. એથી કહે છે -- ‘નિસીહિ’ એ પ્રકારનો શબ્દપ્રયોગ એ પ્રતિજ્ઞા છે કે, ‘ભાવથી હું ગુપ્તિવાળો થઈને પ્રસ્તુત ક્રિયાનો યત્ન કરીશ.’ તેથી જે સાધુ ઉપયોગપૂર્વક પ્રતિજ્ઞા કરે છે તે સાધુને પ્રતિજ્ઞા કરવાને કારણે ‘આ પ્રતિજ્ઞાનો ભંગ મારા અનિષ્ટનું સાધન છે,’ એ પ્રકારે ભીરુતાનો અધ્યવસાય ઉલ્લસિત થાય છે. તેથી પ્રતિજ્ઞાના ભંગમાં ભીરુતાના અધ્યવસાયને કારણે ‘નિસીહિ’ પ્રયોગ કર્યા પછી સાધુ વસતિમાં પણ દૃઢ ઉદ્યમવાળા બને છે. તેથી દૃઢ યત્નપૂર્વક કરાયેલી તે ક્રિયા દૃઢ યત્નકાળમાં વર્તતા ભાવની વૃદ્ધિને કરનારી છે; કેમ કે ક્ષયોપશમભાવથી તે ક્રિયા થાય છે. આશય એ છે કે, નિસીહિ સામાચારીના પાલનના અધ્યવસાયથી મુનિ ‘નિસીહિ’ કહીને સ્વાધ્યાયાદિ કરવા માટે બેસે છે, ત્યારે તેને થાય છે કે મારે હવે રાગાદિના પ્રતિપક્ષભાવનું ભાવન કરવાનું છે, માટે તેમાં અનાભોગથી પણ અયત્ન ન થઈ જાય એ રીતે પ્રયત્ન કરવાનો છે. વળી સ્વાધ્યાયકાળમાં મારે ઉચિત વિધિમાં અયત્ન ન થઈ જાય તેવો યત્ન પણ કરવાનો છે, જેના કારણે શ્રુતની આશાતના ન થાય. આ બંને યત્ન ‘નિસીહિ’ પ્રયોગથી થાય છે. આથી શ્રુતઅધ્યયનવિષયક સર્વ ઉચિત વિધિમાં દૃઢ યત્ન થાય છે કે જેનાથી શ્રુતની આશાતના ન થાય અને શ્રુતને સમ્યક્ પરિણમન પમાડવા માટે અનાભોગથી પણ કોઈ અયત્ન ન થાય તેવો દૃઢ યત્ન થાય છે, અને આવા દૃઢ યત્નથી શ્રુતની ભક્તિનો પરિણામ અને શ્રુતને સમ્યક્ પરિણમન પમાડવાનો યત્ન, શ્રુતઅધ્યયનકાળમાં વર્તે છે, જેથી શ્રુતઅધ્યયનની ક્રિયાથી તે ભાવોની વૃદ્ધિ થાય છે—શ્રુતને સમ્યક્ પરિણમન પમાડવા માટેનો જે ભાવ હતો, તે ઉત્તરોત્તર અતિશયિત થયા કરે છે; અને તે શ્રુતઅધ્યયનની ક્રિયાથી વૃદ્ધિ પામેલો તે ભાવ ક્ષાયિકભાવમાં જ પર્યવસાન પામે છે. તેથી આ ભવમાં શ્રુતઅધ્યયનની ક્રિયા નિષ્ઠા સુધી ન પ્રાપ્ત થાય તોપણ તેના તે સંસ્કારોથી જન્મજન્માંતરમાં પણ તે ભાવ અવશ્ય ક્ષાયિકભાવમાં વિશ્રાંત થનારો થશે. અહીં ‘નિસીહિ’ પ્રયોગ પરંપરાએ ક્ષાયોપમિક ભાવની વૃદ્ધિનું કારણ આ રીતે છે : કલ્યાણનો અંર્થી સાધુ વસતિમાં પ્રવેશ કરતી વખતે ઉપયોગપૂર્વક ‘નિસીહિ’નો વચનપ્રયોગ કરે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296