Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 120
________________ ૯૬ સાધુસામગ્રદ્વાત્રિંશિકા/શ્લોક-૨૧ ત્રણ પ્રકારે વૈરાગ્ય કહેવાયેલ છે. આર્તધ્યાન નામનો આધદુઃખાન્વિત થાય. શાનાથી આર્તધ્યાન નામનો દુઃખાન્વિત વૈરાગ્ય થાય ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે यथाशक्ति ઞપ્રવૃત્તિતઃ, યથાશક્તિ=શક્તિ અનુસારે મોક્ષના ઉપાયમાં અપ્રવૃત્તિથી આર્તધ્યાન નામનો દુઃખાન્વિત વૈરાગ્ય થાય. ..... અહીં પ્રશ્ન થાય કે સંયત મહાત્મા મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય છતાં પ્રમાદને કારણે કે કાંઈક શાતાની અર્થિતાને કા૨ણે શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા ન હોય એટલા માત્રથી આર્ત્તધ્યાન નામનો દુઃખાન્વિત વૈરાગ્ય છે, તેમ કેમ કહેવાય ? તેથી તાત્ત્વિક વૈરાગ્ય તેવો નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -- तात्त्विकं નનવિતિ ।। વળી તાત્ત્વિક વૈરાગ્ય શક્તિનો અતિક્રમ કરીને પણ શ્રદ્ધાવા અતિશયથી=ભગવાનના વચનમાં શ્રદ્ધાના અતિશયથી, પ્રવૃત્તિને=મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિને, પેદા કરે છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. ।૨૧।। * શક્તિમતિાપિ - અહીં પિ થી એ કહેવું છે કે તાત્ત્વિક વૈરાગ્ય શક્તિ અનુસાર મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ પેદા કરે છે, પરંતુ વિશેષ લાભ જણાય ત્યારે શક્તિનો અતિક્રમ કરીને પણ=શક્તિના અત્યંત પ્રકર્ષથી પણ, શ્રદ્ધાના અતિશયથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ પેદા કરે છે. ભાવાર્થ : વૈરાગ્યનું સ્વરૂપ : વૈરાગ્ય ત્રણ પ્રકારના છે - (૧) દુઃખાન્વિત ઃ- આર્તધ્યાન નામના સંક્લેશ સહિત. : (૨) મોહાન્વિત ઃ- અજ્ઞાનથી સહિત. ના ના (૩) જ્ઞાનાન્વિત :- સંસારના સ્વરૂપનું વાસ્તવિક પર્યાલોચન અને સંસારના ઉચ્છેદના ઉપાયનું વાસ્તવિક પર્યાલોચન એ રૂપ સમ્યજ્ઞાનથી સહિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154