Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 140
________________ ૧૧૬ સાધુસમસ્યદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ‘ક્ષમાશ્રમણના હાથથી', એ પ્રમાણે કહે છે. જરા જ શાસ્ત્રવિપ=નમજ્ઞોગપિ - અહીં પિ થી એ કહેવું છે કે શાસ્ત્રના જાણનારા ન હોય તેવા મહાત્માઓ તો ગુણવાનને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરે, પરંતુ શાસ્ત્રના જાણનારા પણ મહાત્માઓ ગુણવાનને પરતંત્ર થવા માટે સર્વ ક્રિયાઓમાં ‘ક્ષમશ્રમUTહસ્તર'=“ક્ષમાશ્રમણના હાથથી' એ પ્રમાણે કહે છે. ભાવાર્થ : ગુણવાનના પાતંત્ર્યથી મોહનો અપકર્ષ થતો હોવાથી ગુણવાનનું પાતંત્ર્ય ભાવશુદ્ધિનું કારણ : ગુણવાનના વચનનું અવલંબન લઈને એમના વચનાનુસાર તત્ત્વનો નિર્ણય કરવા માટે અભિમુખ એવો જીવનો પરિણામ, અને તત્ત્વનો નિર્ણય કરીને તત્ત્વને જીવનમાં સેવવાને અભિમુખ એવો જીવનો પરિણામ, તે ગુણવાનનું પાતંત્ર્ય છે. આ પ્રકારના ગુણવાનના પાતંત્ર્યના પરિણામથી સ્વરુચિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાના હેતુભૂત એવા મોહના અનાદિના સંસ્કારો આત્મામાં પડ્યા છે, તેનો અપકર્ષ થાય છે. તેથી ગણવાનનું પાતંત્ર્ય મોહના અનુત્કર્ષને કરનાર છે; અને આથી જ શાસ્ત્રના જાણનારા મહાત્માઓ પણ સર્વ ક્રિયાઓમાં ‘ક્ષનાથમાહર્તન'=“ક્ષમાશ્રમણના હાથ વડે હું આ દીક્ષાદાનાદિ સર્વ કૃત્યો કરું છું” અર્થાત્ ક્ષમાપ્રધાન એવા ગુણસંપન્ન પુરુષને પરતંત્ર થઈને તેમના વચનના નિયંત્રણ નીચે હું આ દીક્ષાદાનાદિની પ્રવૃત્તિ કરું છું, આ પ્રકારનો અભિલાષ કરે. છે, અને આમ કરવાથી શાસ્ત્રના જાણનારાઓને પણ ભાવથી ગુણવાનના પરતંત્રનો પરિણામ અતિશયિત થાય છે. ગુણવાનના પાતંત્ર્યનો પરિણામ અતિશયિત થવાને કારણે મોહનો અપકર્ષ થાય છે અર્થાત્ સ્વમતિ પ્રમાણે ચાલવાને અનુકૂળ મોહના સંસ્કારોનો અપકર્ષ થાય છે. તેથી દીક્ષાદાનાદિ સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં ગુણવાનની આજ્ઞાથી અન્યથા પ્રવૃત્તિ કરાવે તેવા અતિચારનો સંભવ રહેતો નથી. કદાચ અનાભોગથી કોઈ સ્કૂલના થાય તોપણ ગુણવાનના પાતંત્ર્યના ભાવથી નિવર્તન પામે છે, તેથી દીક્ષાદાનાદિ સર્વ પ્રવૃત્તિઓ પૂર્ણવિધિ અનુસાર થાય છે, માટે કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154