Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 149
________________ ૧૫ સાધુસામઔદ્રાવિંશિકા/શ્લોક-૩૧ ભાવાર્થ :અનાભોગથી પણ શાસનનું માલિન્ય કરનારને મહાઅનર્થનું કારણ મિથ્યાત્વનો બંધ : કેટલાક જીવો સંયમજીવનમાં શુદ્ધ આચાર પાળવાના પક્ષપાતી હોય છે, અને સમુદાયમાં શુદ્ધ આચારોનું પાલન થાય નહિ તેવું જણાવાથી ગુણવાન એવા ગીતાર્થનો ત્યાગ કરે છે અને સ્વમતિ અનુસાર નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં ઉદ્યમ કરે છે. તેઓ લોકો આગળ કહે છે કે આ મહાત્માઓ સમુદાયમાં અધ્યયનાદિ સુંદર કરે છે, પરંતુ શુદ્ધ ભિક્ષાદિ આચારમાં ઉદ્યમ કરતા નથી, અને સમુદાયમાં સંયમના દોષો લાગવાથી સમુદાયને છોડીને અમે શુદ્ધ સંયમ પાળીએ છીએ. આમ કહીને ગુણવાન એવા મહાત્માઓની નિંદા કરે છે, તે ગુણવાનની નિંદા લોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે અને તેનાથી પ્રવચનનું માલિન્ય થાય છે; અને એ પ્રકારનું પ્રવચનનું માલિન્ય અનાભોગથી થતું હોય તોપણ દુરંત સંસારનું કારણ એવા મિથ્યાત્વની પ્રાપ્તિનું કારણ છે. IBના અવતરણિકા : શ્લોક-૩૦માં કહ્યું કે અનાભોગથી પણ જેઓ શાસનનું માલિત્ય કરે છે તેઓ મિથ્યાત્વને બાંધે છે. આનાથી અર્થથી એ ફલિત થયું કે જેઓ ગુણવાનને પરતંત્ર નથી અને સ્વમતિ અનુસાર સંયમના આચારો પાળે છે, તેઓ શાસનનું માલિત્ય કરીને મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. તે સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરનારા કઈ રીતે શાસનનું માલિત્ય કરે છે, અને તેમની સંયમની આચરણ સંયમના સામર્થ્યનું કેમ કારણ નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : स्वेच्छाचारे च बालानां मालिन्यं मार्गबाधया । गुणानां तेन सामग्र्यं गुणवत्पारतन्त्र्यतः ।।३१।। અન્વયાર્થ :ચ અને વાતાનાં બાળ જીવોનો અજ્ઞાનીજીવોનો, સ્વેચ્છાવારે સ્વેચ્છાચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154