Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 141
________________ ૧૧૭ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ ફલિતાર્થ : આનાથી એ ફલિત થાય કે શાસ્ત્રના જાણનારા મહાત્માઓને પણ ગુણવાનના પારતંત્રનો પરિણામ શુદ્ધિના ઉત્કર્ષને કરનારો છે, તો જેઓમાં જ્ઞાનાન્વિત વૈરાગ્ય નથી, પરંતુ દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્ય છે, તેઓને તો અશુદ્ધિનું નિવર્તન ગુણવાનના પાતંત્ર્ય વગર થઈ શકે નહિ. તેથી જેઓ ગુણવાનને પરતંત્ર થવાના અભિમુખવાળા પણ નથી, તેઓનો દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્ય કલ્યાણનું કારણ બની શકે નહિ, એમ શ્લોક-૨૬ સાથે સંબંધ છે. રબા અવતરણિકા : શ્લોક-૨૬માં કહ્યું કે ગુણવાનના પારતંત્ર વગર ભાવશુદ્ધિ પણ માર્ગ અનુસારી છે માટે કલ્યાણનું કારણ નથી. વળી શ્લોક-૨૭માં યુક્તિથી સ્થાપન કર્યું કે ગુણવાનનું પાતંત્ર્ય મોહના અપકર્ષનું કારણ છે માટે શાસ્ત્રના જાણનારા મહાત્માઓ પણ ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારે છે. હવે ભવથી વિરક્ત થયેલા હોવા છતાં કેવા પ્રકારના જીવો ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારતા નથી, અને કેવા પ્રકારના જીવો ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારે છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : यस्तु नान्यगुणान् वेद न वा स्वगुणदोषवित् । स एवैतन्नाद्रियते न त्वासन्नमहोदयः ।।२८ ।। અન્વયાર્થ : વસ્તુ=જે વળી =અન્યના ગુણોને ન વે=જાણતા નથી, વા= અથવા સ્વગુણવોવ ન=સ્વના ગુણ-દોષોને જાણતા નથી અર્થાત્ પોતાનામાં કયા ગુણો છે અને કયા દોષો છે તેને જાણતા નથી, સ તે જ ત આને ગુણવાનના પાતંત્ર્યને, નાદિયતે–સ્વીકારતા નથી; તુ=પરંતુલાસમય: ન=આસામહોદયવાળા જીવો નહિ, અર્થાત્ આસન્ન મહોદયવાળા જીવો ગુણવાનના પારતંત્રને સ્વીકારતા નથી એમ નહિ, અર્થાત્ સ્વીકારે છે. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154