Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 142
________________ ૧૧૮ સાધુસામય્યદ્વાચિંશિકા/શ્લોક-૨૮ શ્લોકાર્ધ : જે વળી અન્યના ગુણોને જાણતા નથી અથવા સ્વના ગુણ-દોષોને જાણતા નથી તે જ આને ગુણવાનના પાતંત્ર્યને, સ્વીકારતા નથી, પરંતુ આસન્નમહોદયવાળા જીવો નહિ, અર્થાત્ આસન્નમહોદયવાળા જીવો ગુણવાનના પાતંત્ર્યને સ્વીકારતા નથી એમ નહિ, અર્થાત્ સ્વીકારે છે. Il૨૮ ટીકા - સર્વિતિ-વ્યઃ ૨૮ાા શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. ર૮. ભાવાર્થ : અન્યના ગુણોને નહિ જાણનારમાં ગુણવાનનું પાતંત્ર્ય નથી : જે જીવોએ કલ્યાણના અર્થે સંયમ ગ્રહણ કરેલું છેઆમ છતાં તેમનામાં સમ્યજ્ઞાન પ્રગટ્યું નથી, તેથી જ્ઞાનાન્વિત વૈરાગ્ય નથી પરંતુ દુઃખાન્વિત કે મોહાન્વિત વૈરાગ્ય છે; તેમાંથી જે જીવો અન્યના ગુણોને જાણતા નથી અર્થાત્ પોતે યત્કિંચિત્ શાસ્ત્રો ભણીને શાસ્ત્રના જાણનારા છે તેવું માનનારા છે, પરંતુ ગુણવાન પુરુષો શાસ્ત્રના મર્મને જાણીને શાસ્ત્રાનુસારી ક્રિયાઓ કરીને મોહનું કઈ રીતે ઉમૂલન કરે છે, તેના પરમાર્થને જેઓ જાણતા નથી, તેઓ જ આવા ગુણવાન પુરુષનું પાતંત્ર્ય સ્વીકારતા નથી. જો તેઓ કલ્યાણના અર્થી હોય, અને આ ગુણવાન પુરુષ શાસ્ત્રોના પરમાર્થને જાણીને શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ દ્વારા આ રીતે મોહનું ઉમૂલન કરી રહ્યા છે, એ પ્રકારે તેઓના ગુણોને જો તેઓ જાણતા હોય, તો ભવથી વિરક્ત થયેલા એવા તેઓ અવશ્ય ગુણવાનના પાતંત્ર્યનો સ્વીકાર કરે. સ્વના ગુણ-દોષોને નહિ જાણનારમાં ગુણવાનનું પાતંત્ર્ય નથી : અથવા જેઓ પોતાના ગુણ-દોષોને જાણનારા નથી અર્થાત્ પોતાને ભવનો વૈરાગ્ય છે એ રૂપ પોતાનામાં યત્કિંચિત્ ગુણ છે, તોપણ ભવના ઉચ્છેદનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154