Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 145
________________ ૧૨૧ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૯ સુખનું નિમિત્ત અને સિદ્ધિના સુખને લાવનારા તેને જ=સમ્યકત્વને જ. પ્રાપ્ત કરે છે." પ૨૯ ભાવાર્થ :ગુણવાનના બહુમાનથી તીર્થની ઉન્નતિ થવાને કારણે અન્યને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થવાથી સાધક યોગીને પ્રકૃષ્ટ ઉન્નતિની પ્રાપ્તિ - જે જીવોને આસન્ન મહોદય છે, તેવા જીવો ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારે છે. સર્વત્ર તેમની આજ્ઞાને આગળ કરીને ઉચિત પ્રવૃત્તિ કરવી તે ગુણવાનનું પારતંત્ર છે. આ રીતે ગુણવાનનું પાતંત્ર્ય સ્વીકારવાને કારણે જ્ઞાનાદિ ગુણશાળી એવા યોગીઓનું બહુમાન થાય છે. જે સાધક યોગી આ રીતે ગુણવાનનું બહુમાન કરતા હોય તેનાથી ઘણા શિષ્યલોકમાં પ્રવચનની શ્લાઘા થાય છે, કેમ કે શિષ્ટ લોકો વિચારે છે કે આ દર્શનના આચારો ઉત્તમ છે, તેથી ગુણવાન પુરુષને પરતંત્ર થઈને આ બધા મહાત્માઓ ઉચિત પ્રવૃત્તિ કરે છે. આ રીતે ગુણવાનના પાતંત્ર્યને કારણે થતી પ્રવચનની ઉન્નતિથી ઘણા જીવોને સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે, અને ઘણા જીવોના સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ગુણવાનને પરતંત્ર થનારા અને ગુણવાનનું બહુમાન કરનારા સાધકો નિમિત્ત બને છે, તેથી તેઓને તીર્થકરાદિ ભાવની પ્રાપ્તિરૂપ પરા ઉન્નતિ પ્રાપ્ત થાય છે, કેમ કે કાર્ય હંમેશાં કારણને અનુરૂપ હોય છે. આશય એ છે કે જે સાધક યોગી ગુણવાનને પરતંત્ર થઈને ગુણવાનના બહુમાનથી વર્તમાનમાં તીર્થની ઉન્નતિ કરે છે, તેનાથી પ્રકૃષ્ટ ઉન્નતિ કરવાને અનુકૂળ તેમનો જેવો અધ્યવસાય છે તેને અનુરૂપ ઉત્કૃષ્ટ પ્રવચનની ઉન્નતિનું કારણ બને તેવું પુણ્ય બંધાય છે. માટે પ્રવચનની ઉન્નતિને કરનારા જીવો પ્રકૃષ્ટ પ્રવચનની ઉન્નતિના કારણભૂત તીર્થંકરાદિ પુણ્યપ્રકૃતિને બાંધે છે, અને તેના દ્વારા સ્વ-પરનું કલ્યાણ સાધે છે. સારાંશ : ગુણવાનનું પાતંત્ર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154