Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 137
________________ સાધુસમસ્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૬ ૧૧૩ સ્વીકારતા ન હોય અને અપ્રજ્ઞાપ્ય એવા બાળ છે અર્થાત્ કોઈ ઉપદેશક તેમને ઉપદેશ આપે કે “સંયમની બધી આચરણા ગુણવાનના પરતંત્રથી સંવેગની વૃદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, તે સિવાય પૂલ આચરણામાત્રથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય નહિ,” છતાં ગીતાર્થના ઉપદેશને ગ્રહણ ન કરે તેવા અજ્ઞાની જીવો, સ્વઆગ્રહ અનુસાર બાહ્ય આચરણામાં રત રહે તે ભાવશુદ્ધિ મોક્ષનું કારણ નહિ હોવાથી પરમાર્થથી ભાવશુદ્ધિ નથી. વળી તેમનામાં રહેલો સ્વઆગ્રહ કેવો છે તે સ્પષ્ટ કરતાં બતાવે છે કે તેવા જીવોને જે શાસ્ત્રશ્રદ્ધા છે, તેના કરતાં અધિક સ્વકલ્પના પ્રત્યે અભિનિવેશ છે. આથી જ તેઓ શાસ્ત્રના પરમાર્થને જાણનારા ગુણવાન એવા ગીતાર્થનું પાતંત્ર્ય સ્વીકારતા નથી. વળી તેમની સ્વઆગ્રહાત્મિક ભાવશુદ્ધિ માર્ગઅનનુસારી છે, માટે પણ કલ્યાણનું કારણ નથી. માર્ગઅનુસારીનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે – વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ એવો સ્વરસવાહી જીવનો પરિણામ તે માર્ગ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોમાં કદાગ્રહ દૂર થયો છે, તત્ત્વને જાણવાની જિજ્ઞાસા થઈ છે, તેથી સ્વાભાવિક રીતે ગીતાર્થો પાસેથી માર્ગને જાણવા યત્ન કરે છે, અને તેમનું ચિત્ત વક્રતા વગર તત્ત્વાતત્ત્વના નિર્ણય માટે પ્રવર્તતું હોય તેવા જીવોને આપ્તપુરુષના ઉપદેશથી પોતાને જે ગુણસ્થાનક પ્રાપ્ત થયું છે, તેનાથી ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ એવો જે સ્વરસવાહી પરિણામ છે તે માર્ગ છે; અને તેવા માર્ગને નહિ અનુસરનારી સ્વઆગ્રહવાળી ભાવશુદ્ધિ છે માટે કલ્યાણનું કારણ નથી. llરકા અવતરણિકા : શ્લોક-૨૬માં સ્થાપન કર્યું કે ગુણવાનતા પારતંત્ર વગર ભાવશુદ્ધિ પણ પરમાર્થથી ભાવશુદ્ધિ નથી, માટે કલ્યાણનું કારણ નથી. તેથી જે દુઃખાવિત અને મોહાવિત વૈરાગ્યવાળા જીવો ગુણવાનને પરતંત્ર નથી, તેઓનો વૈરાગ્ય નિષ્ફળ છે. હવે ગુણવાનના પારતંત્રથી મોહનો અપકર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154