Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 126
________________ ૧૦૨ સાધુસામય્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ ટીકાર્ય : પ્રાન્ત: ..... મતિ, એકાંત=સર્વથા સત્ એવો જે આત્મા અથવા સર્વથા ક્ષયી એકાંત ક્ષણિક એવો જે આત્મા તેના ગ્રહથી તેના બોધથી, ઉત્પન્ન થયેલું જે ભવની નિર્ગુણતાનું દર્શન, તેનાથીકતે ભવની નિર્ગુણતાના દર્શનથી, શાંતને પણ=લોકદષ્ટિથી પ્રશમવાળાને પણ, બીજો-મોહાવિત વૈરાગ્ય છે. તવ્ય .... ભવેત, અને આ=મોહાવિત વૈરાગ્ય, સત્ એવો શક્તિથી અવસ્થિત એવો, જે જવર, તેનો વેલામાફકાલસ્વરૂપ અનુદય અર્થાત્ તાવ આવવાના સમય પૂર્વે જે અનુદય, તેના જેવો તેઓને થાય છે. અહીં પ્રશ્ન થાય કે ભવની નિર્ગુણતાના દર્શનને કારણે જેમને ભવ પ્રત્યે ઉત્કટ દ્વેષ છે, તેઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય સ્વીકારવામાં શું બાધ છે ? તેથી હેપનિતી ... સમન્વિતત્વાન્ II દ્વેષજનિત વૈરાગ્યનું ઉત્કટપણું હોવા છતાં પણ મિથ્યાજ્ઞાનની વાસનાનો અવિચ્છેદ હોવાને કારણે અપાયની પ્રતિપાત શક્તિનું સમન્વિતપણું છે=ઢેષજનિત વૈરાગ્યમાં અપાયનું કારણ બને એવી પ્રતિપાત શક્તિનું સમન્વિતપણું છે અર્થાત્ દ્વેષજનિત વૈરાગ્ય અપગમનું કારણ બને એવી પ્રતિપાત શક્તિથી યુક્ત છે. પરવા ક કંપનીનતી વૈરાગ્યોās - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે મોહગર્ભિત વૈરાગ્યવાળાને દ્વેષજનિત વૈરાગ્ય ઉત્કટ ન હોય તો તો મિથ્યાજ્ઞાનની વાસનાના અવિચ્છેદને કારણે અપાયની પ્રતિપાત શક્તિનું સમન્વિતપણું છે, પરંતુ કોઈકને દ્વેષજનિત વૈરાગ્યનું ઉત્કટપણું હોય તોપણ મિથ્યાજ્ઞાનની વાસનાનો અવિચ્છેદ હોવાને કારણે અપાયની પ્રતિપાત શક્તિનું સમન્વિતપણું છે. ભાવાર્થ(૨) મોહાન્વિત=મોહગર્ભિત, વૈરાગ્યનું સ્વરૂપ - કેટલાક યોગીઓને આત્મા સર્વથા સત્ છે=સર્વથા નિત્ય છે, તેમ મોહને કારણે દેખાય છે, તો વળી કેટલાક યોગીઓને આત્મા સર્વથા ક્ષયી છે=સર્વથા ક્ષણિક છે, તેમ મોહને કારણે દેખાય છે, અને તે પ્રકારના મોહને કારણે થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154