Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 132
________________ ૧૦૮ ટીકાર્ય : अनेनैव સ્વાત્, આનાથી જજ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ, સમગ્રપણું થાય=સર્વથા દુ:ખના ઉચ્છેદસ્વરૂપ અસંગભાવની પ્રાપ્તિવિશેષરૂપ સમગ્રપણું થાય. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સર્વથા દુઃખના ઉચ્છેદરૂપ વીતરાગતાની પ્રાપ્તિરૂપ સમગ્રપણું કેમ થાય છે ? તેમાં હેતુ કહે છે ..... સાધુસામગ્યદ્વાત્રિંશિકા/મ્લોક-૨૫ જ્ઞાનદિત ..... પ્રતિવન્ધત્વાત્ । જ્ઞાનસહિત વૈરાગ્યનું અપાયની શક્તિનું પ્રતિબંધકપણું છે અર્થાત્ સ્યાદ્વાદના યથાર્થ બોધથી યુક્ત વૈરાગ્યનો પરિણામ ક્ષાયિકભાવમાં વિશ્રાંત ન થાય ત્યાં સુધી ઉત્તર ઉત્તરમાં ઉદ્યમ કરાવીને ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય તેવો છે, પરંતુ વિરક્તભાવનો પાત થાય તેવી જે અપાયશક્તિ, તેનું જ્ઞાનસહિત વૈરાગ્યમાં પ્રતિબંધકપણું છે. द्वयोस्तु ..... સ્વાત્, વળી બંનેનું=દુઃખાન્વિત વૈરાગ્યનું અને મોહાન્વિત વૈરાગ્યનું, સ્વ ઉપમર્દથી=સ્યવિનાશ દ્વારા, આમાં=જ્ઞાનાન્વિત વૈરાગ્યમાં, અંગપણું કદાચ થાય=ઉપકારકપણું શુભોદયદશામાં થાય અર્થાત્ જીવ તત્ત્વને અભિમુખ થાય એવા કષાયની મંદતારૂપ શુભોદયદશામાં ઉપકારકપણું થાય. અહીં પ્રશ્ન થાય કે દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્ય સ્વવિનાશ દ્વારા જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ શુભોદયદશામાં કઈ રીતે થાય છે ? તેમાં હેતુ કહે છે – મુળવત ..... જ્ઞાનત્વાત્ ।। ગુણવાનના પારતંત્ર્યથી-આજ્ઞાવશવૃત્તિપણાથી, જ્ઞાનાન્વિત વૈરાગ્યનું કારણ થાય; કેમ કે જ્ઞાનવાળા પુરુષના પારતંત્ર્યનું પણ ફળથી જ્ઞાતપણું છે અર્થાત્ દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્યવાળા જીવોમાં જ્ઞાન નહિ હોવા છતાં ગુણવાન પુરુષના જ્ઞાનના અવલંબતથી તેઓને ક્રમથી જ્ઞાન પ્રગટ થતું હોવાને કારણે ળથી જ્ઞાતપણું છે. રપ * જ્ઞાનવત્પારતવ્યાપિ - અહીં પિ થી એ કહેવું છે કે જ્ઞાનવાળા પુરુષમાં તો જ્ઞાનપણું છે, પરંતુ જ્ઞાનવાળા પુરુષને પરતંત્રનું પણ ફળથી જ્ઞાનપણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154