Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath Author(s): Labdhisurishwar Jain Granthmala Publisher: Labdhisurishwar Jain Granthmala View full book textPage 5
________________ » આદિ વચન — અમને જણાવતાં અત્યંત હર્ષ ઉપજે છે, કે જે ઉદ્દેશથી અમે કાર્ય કરતાં આ હદ સુધી આવી પહોંચ્યા છીએ, તે ઉદ્દેશ વધારે સફળ કરવાના હેતુથી એકવીસમી સદીના મંગળ પ્રભાતે નવ્ય યુગને નૂતન સાહિત્ય રસ પીરસવા, આ બાળજીવનગ્રંથાવળીને પ્રગટ કરવા દ્વારા, અમે સમર્થ બની શક્યા છીએ. આજના ઉચ્ચ શિક્ષણ લેનારાઓ માટેના અમારા શ્રી જૈન વિદ્યાથી ગ્રંથમાળાના ઉત્તમ પ્રકાશનેને જોઇને આનંદ પ્રકાશિત કરતાં કરતાં જેન આલમની બાળવર્ગની ઉન્નતિને અર્થે આવા બાળસાહિત્યના સર્જન માટે પણ હિતેચ્છુઓ તરફથી ઘણી માંગણી થવા લાગી ને તે ધ્યાનમાં લઇને અમે આ કાર્યમાં મંગળ પ્રવેશ આજે કરીએ છીએ. સુરત નિવાસી સ્વર્ગીય સંધવી શેઠ જીવનચંદનવલચંદના ઉત્તમ સ્મારક તરીકે આ વિભાગ પ્રગટ કરવામાં આવે છે. તે જ હેતુથી બાળ શબ્દની સાથે જીવન શબ્દ સંકળાયેલે વાંચકો જશે. આ સંસ્થાના પ્રાણસમી પરમ કૃપાળુ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની કપ અમારા આ ભગીરથ પ્રયત્નમાં વેગ આપો ! એટલી પ્રાર્થનાપૂર્વક હાલ વિરમીશું સંધસેવક શા. ઉમેદચંદ રાયચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52