________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પ્રશમતિ'ના રચયિતા વાયકશ્રેષ્ઠ ઉમાસ્વાતિ
જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક “ઘોષનન્દિ' શ્રમણ હતા અને મગુરુ (ગુરુના ગુરુ) વાચક મુખ્ય શિવશ્રી' હતા, વાચનાથી અર્થાતુ વિદ્યાગ્રહણની દૃષ્ટિએ જેમના ગુરુ “મૂલ” નામના વાચકાચાર્ય અને પ્રગુરુ મહાવાચક “મુંડપાદ' હતા, જેઓ ગોત્રથી “કૌભીષણી' હતા અને જે “સ્વાતિ' પિતા અને “વાત્સી' માતાના પુત્ર હતા, જેમનો જન્મ “ન્યગ્રોધિકા'માં થયો હતો અને જે “ઉચ્ચ નાગર શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ આહત ઉપદેશને સારી રીતે ધારણ કરીને તુચ્છ શાસ્ત્રોથી હતબુદ્ધિ દુઃખી લોકોને જોઈને, જીવો પ્રત્યેની અનુકંપાથી પ્રેરિત થઈને આ તસ્વાર્થાધિગમ' નામનું સ્પષ્ટ શાસ્ત્ર, કુસુમપુર’ નામના મહાનગરમાં રચ્યું છે. જે આ તત્વાર્થ શાસ્ત્રને જાણશે અને એના કથન મુજબ આચરણ કરશે તે અવ્યાબાધ સુખ નામના પરમાર્થને-મોક્ષને શીધ્ર પ્રાપ્ત કરશે.
- તત્વાર્થાધિગમ-સૂત્રની પ્રશસ્તિ વાચકશ્રેષ્ઠ ભગવાન ઉમાસ્વાતિનો પરિચય આપનાર જો કોઈ પ્રમાણિક આધાર હોય તો માત્ર આ પ્રશસ્તિ જ છે. જો કે આ પ્રશસ્તિમાંથી તેઓનો કાળનિર્ણય મળતો નથી, પરંતુ વિદ્વાનો, ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૪૭૧ વર્ષે ઉમાસ્વાતિ થયા, એમ માને છે. વિક્રમની પ્રથમ શતાબ્દીનો પ્રારંભિક કાળ કહી શકાય.
આ મહાન શ્રતધરે પોતાના જીવનકાળમાં પાંચસો ગ્રંથોની રચના કરી હતી, તેમાંથી આજે માત્ર પાંચ-સાત ગ્રંથો જ મળે છે. તેમાં મુખ્ય છે : તત્વાર્થાધિગમ સૂત્રે અને પ્રશમરતિ. તે સિવાય “જમ્બુદ્વીપ” “સમાપ્રકરણ, “પૂજાપ્રકરણ' શ્રાવકપ્રજ્ઞપ્તિ “ક્ષેત્રવિચાર' વગેરે ગ્રંથો છે.
કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ હેમચન્દ્રસુરીશ્વરજી શ્રી ઉમાસ્વાતિને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર કહે છે. તેઓએ, તત્ત્વાર્થ સૂત્ર'માં આહત કૃતના પદાર્થોનો અદભુત સંગ્રહ કરેલો છે. પ્રશમરતિ માં પણ આઈત કૃતના ઢગલાબંધ પદાર્થોનો સંગ્રહ કરાયેલા છે.
પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિને શ્વેતામ્બર જેમ પૂજ્યભાવે સ્વીકારે છે તેવી
For Private And Personal Use Only