________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ્યું છે. એ ટીકાકાર મહર્ષિના ચરણે ભાવભરી વંદના! “પ્રશમરતિમાં મુખ્ય બાવીસ વિષયોની સંકલના છે૧પીઠબંધ ૨. કષાય ૩, રાગાદિ ૪. કર્મ પ. કરણ ૩. અર્થ ૭. આઠ મદસ્થાન ૮. આચાર ૯. ભાવના ૧૦. ધર્મ ૧૧. કથા ૧૨. જીવાદિ ૧૩. ઉપયાગ ૧૪. ભાવ ૧૫, દ્રવ્ય ૧૬. ચરણ ૧૭. શીલાંગ ૧૮. ધ્યાન ૧૯, શ્રેણિ ૨૦. સમુદુઘાત ૨૧. યોગનિરોધ અને ૨૨. શિવગમન.
વિવેચનની સરળતા જળવાઈ રહે તે માટે તાત્ત્વિક વિષયોને વિવેચનમાં ન ચર્ચતાં, જુદાં પરિશિષ્ટોમાં એ વિષય ચર્ચા છે. બાવીસ પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. અધ્યયન કરનારાઓને આ પરિશિષ્ટો વિષય સમજવામાં ઉપયોગી બનશે.
દરેક શ્લોકનો અર્થનિર્ણય ટીકાના આધારે કરેલો છે. મૂળ શ્લોકો કંઠસ્થ કરનારાઓ માટે અર્થજ્ઞાનમાં તે ઉપયોગી બનશે.
સહુ જીવોનાં અંત:કરણ શાન્તિ, પ્રશમ, ઉપશમ પામે અને નિરવધિ આનંદ અનુભવે, એ ભાવનાથી આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવે છે... મારા મંદ ફર્યાપશમથી.... અલ્પ બુદ્ધિથી. કંઈ પણ વિસંવાદી લખાઈ ગયું હોય તો કરુણાવંત વિદ્વાનો મને ક્ષમા કરો.
- ભદ્રગુખવિજય
For Private And Personal Use Only