________________
૪૧૫
રાદિકપણે લે છે. એ જે છ દિશીને આહાર લે છે તે સકલ ગોળા કહેવાય છે અને લોકના અંત પ્રદેશે જે નિગોદિયા ગોળા રહ્યા છે તે ત્રણ દિશીને આહાર ફસ્ટનાએ લે છે, તેથી વિકલ ગોળા કહેવાય છે. એ સૂક્ષ્મનિગોદમાં પાંચ થાવરના સૂક્ષ્મ જીવ તે સર્વ લોકમાં કાજળની કુપલીની પેરે ભર્યા થકા વ્યાપી રહ્યા છે, અને એક સાધારણ વનસ્પતિના સૂક્ષ્મ જીવે છે અને પૃથિવ્યાદિક ચાર સુમ જીવ છે, તે લેક વ્યાપી છે, તે સર્વ પ્રત્યેક છે, પરંતુ સાધારણપણું એક વનસ્પતિકાયમાં જ છે, પૃથિવ્યાદિક ચાર સ્થાવરમાં નથી. એ સૂક્ષ્મ નિગોદમાં અસંતુ દુઃખ છે. તે દષ્ટાંત કરી દેખાડે છે – - સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આઉખું તેત્રીસ સાગરોપમનું છે. તે તેત્રીસ સાગરોપમના જેટલા સમય થાય તેટલી વાર કઈ જીવ સાતમી નરકમાં પૂર્ણ તેત્રીસ તેત્રીસ સાગરોપમને આઉખે ઉપજે, તે વારે તેને અસંખ્યાતા ભવ નરકના થાય, તે અસંખ્યાતા ભવમાં સાતમી નરકને વિષે તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સર્વ દુઃખ એકઠું કરીયે. તેથી પણ અનંતગણું દુઃખ નિગાદિયા જીવ એક સમયમાં ભગવે છે. વળી બીજું દષ્ટાંત કહે છે –
મનુષ્યની સાડાત્રણ દોડ રેમરાજી છે. તેને કોઇ દેવતા સાડાત્રણ કોડ લોખંડની સૂઈ (સય) અગ્નિમાં તપાવીને સમકાલે રોમે રોમે ચપે તે વારે તે જીવને જે