________________
૧૯૦
દેવવંદનમાલા
આ લેક અને પરલેકમાં લાભદાયી છે. આવું વિચારી પ્રભુને વાંદવા જવાની તૈયારી કરી.
પછી પુત્રના વિયોગથી જેમનાં આંખે પડલ વન્યાં છે તથા પિતાના પુત્રની બીલકુલ કાળજી રાખતું નથી એમ કહીને વારંવાર ઠપકે આપતા મરૂદેવા માતાને, “ચાલે તમારા પુત્રની ઋદ્ધિ દેખાડું” એમ કહી હાથી ઉપર બેસાડીને ભરત રાજા ચતુરંગી સેના લઈને પ્રભુને વાંદવા ગયા. દેવદુંદુભીને નાદ સાંભળી મરૂદેવાએ ભરતરાજાને પૂછયું કે “આ શું વાગે છે?” તે વખતે ભરતરાજાએ કહ્યું કે તમારા પુત્રને કેવલજ્ઞાન થયું છે તેથી દેવદુદંભીને આ ધ્વનિ સંભળાય છે. તમે તમારા પુત્રની અદ્ધિ જુઓ. માતાને હર્ષનાં આંસુ આવ્યાં, તેથી પડલ ઉતરી જતાં પુત્રની ઋદ્ધિ જોઈ. તે વખતે હું પુત્રની પાછળ આંધળી થઈ અને આટલી ઋદ્ધિવાળા પુત્રે તે મારી ખબર પણ પૂછી નહિ એવી અન્યત્વ ભાવના ભાવતાં શુકલ ધ્યાનથી કેવલજ્ઞાન પામી અંતકૃત કેવલી થઈ મેક્ષે ગયા. ભરત મહારાજાએ માતાના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું.
પછી ભરત મહારાજા સસરણમાં આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વિધિ પૂર્વક વાંદીને ચેાગ્ય સ્થાને બેઠા. ભગવાને વૈરાગ્યમય ધર્મોપદેશ આપ્યું. તે સાંભળીને ભરત રાજાએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તે વખતે ભરત રાજાના પુત્ર ઋષભસેન જેમનું બીજું નામ પુંડરિક હતું તેમણે ઘણું પરિવાર સાથે પ્રભુ આગળ ચારિત્ર લીધું. પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તે વખતે પ્રભુએ ૮૪ ગણધરે સ્થાપ્યા. તેમાં પુંડરિકજીને પ્રથમ ગણધર સ્થાપ્યા.