________________
ચૈત્રી પુનમની કથા.
શુદ્ધ ચારિત્રનું પાલન કરતા શ્રી પુંડરિક ગણધર પ્રભુની સાથે વિચરે છે. કેટલાક સમય પછી ભગવાન પરિવાર સાથે શ્રીસિદ્ધાચલ તીર્થને વિષે રાયણ વૃક્ષ તલે સમસય. ઈન્દ્રાદિક વંદન કરવા આવ્યા. તે વખતે પ્રભુએ તેમની તથા પુંડરિકાદિ મુનિરાજોની આગળ શ્રી શત્રુંજય તીર્થને મહિમા કહ્યો. તેમ જ આ તીર્થ ઉપર પુંડરિક ગણધરને મેક્ષ મળશે એમ જણાવીને કહ્યું કે “હે ભવ્ય છે ! આ તીર્થ અનાદિ કાળનું શાશ્વતું છે. અહીં અનેક તીર્થકરને અનંતા મુનીશ્વરે ઘાતી કર્મોને ક્ષય કરી સિદ્ધિ પામ્યા છે. તેમજ પામશે. અભવ્ય છે તે પ્રાયે આ તીર્થને નજરે પણ જોતાં નથી. વળી આ અવસર્પિણમાં એ તીર્થ પંડરિકગિરિ નામથી વિશેષ પ્રસિદ્ધિ પામશે. આ પ્રમાણે તીર્થને મહિમા કહીને પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો.
હવે એક વાર પુંડરિક ગણધર પાંચ કેડી સાધુના પરિવાર સાથે ગામે ગામ વિહાર કરતા સેરઠ દેશમાં આવ્યા. તે વખતે તેમને વાંદરાને રાજાદિક ઘણા લોકે આવ્યા. વાંદીને ઊચિત આસને સૌ બેઠા, તે વખતે ગણધર મહારાજાએ ધર્મદેશના આપી. તે વખતે કેઈક ચિંતાતુર સ્ત્રી પિતાની દુઃખી વિધવા પુત્રીને ત્યાં લઈને આવી. ગણધર મહારાજને નમસ્કાર કરીને “પિતાની પુત્રીએ એવું કયું પાપ કર્મ કર્યું હશે કે જેથી તેણી લગ્ન મંડપમાં જ હાથ મેળાવા વખતે જ વિધવા થઈ?” એમ પૂછયું. તે વખતે ચાર જ્ઞાની શ્રીપુંડરિક ગણધરે કહ્યું કે “દરેક જીવને જેવું કર્મ બાંધ્યું તેવું ભેગવ્યા વિના છુટકે નથી. અશુભ કર્મનું