________________
૧૮૮
દેવવંદનમાલા
તથા ચક્રવતી આદિ મહાપુરૂષે આ તિથિએ સિદ્ધિ પામ્યા છે. પ્રથમ તીર્થપતિ શ્રીકષભદેવના નમિ-વિનમિ નામના બે પુત્ર મેક્ષે ગયા છે.
આ કારણથી આ ચેત્રી પૂનમને દિવસ સર્વથી માટે કહ્યો છે. આથી આ દિવસને ઉત્તમ પર્વ સમાન જાણીને તેનું આરાધન કરવું.
પ્રથમ નમિ વિનામને સંબંધ આ પ્રમાણેજ નમિ વિનમિ શ્રી ઋષભદેવના પુત્ર હતા. અષભદેવ ભગવાને જ્યારે દીક્ષા લીધી ત્યારે મોટા પુત્ર ભરતને અધ્યાનું રાજ્ય, નાના પુત્ર બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય ને બીજા પુત્રને પણ યથાયેગ્ય રાજ્ય વહેંચી આપ્યું. આ વખતે નમિ વિનમિ કેઈ કામ પ્રસંગે બહાર દૂર દેશાંતર ગયા હતા. તેથી તેમને રાજ્યને ભાગ આપવાનો રહી ગયે. તેઓ જ્યારે પરદેશથી પાછા આવ્યા ત્યારે ભગવાનને નહિ જેવાથી ભારતને પૂછયું કે, “આપણા પિતા કયાં ગયા છે?” જવાબમાં ભરતે જણાવ્યું કે, “પિતાએ તે દીક્ષા લીધી છે માટે તમે જે મારી સેવા કરે તે હું મારા ભાગમાંથી કેઈક દેશનું રાજ્ય આપીશ.”
પરંતુ તેમને ભારતની વાત પસંદ નહિ આવવાથી રાજ્યને ભાગ મેળવવા પ્રભુ પાસે ગયા. છદ્મસ્થપણે વિચરતા ભગવાન તે કાંઈ પણ જવાબ આપતા નથી, તો પણ તેઓ ભગવાનની પાછળ પાછળ ભમવા લાગ્યા અને જ્યાં જ્યાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને ઉભા રહે, ત્યાં ત્યાં પ્રભુની ચારે બાજુએથી કાંટા કાંકરા વગેરે દૂર કરે, પાણી છાંટી ભૂમિ