Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ કાણુ જીત્યું? રાજાએ તેને સામું પૂછ્યું, એ અભાગિયા દેશમાં હવે શા દુ:ખે જાય છે, ભાઈ ?' ૮ વટેમાર્ગુએ કહ્યું, ‘હું વેપારી વાણિયા છું. મારું નાવ ભરસમુદ્રમાં ડૂબી ગયું. હવે ઘેર ઘેર ભીખ માગતે તે કેમ કરીને જીવું? પણ ચારે બાજુ મેં દયાળુ કોશલરાજની કીર્તિ સાંભળી છે. કહે છે કે તે અનાથના નાથ છે, દીનરિદ્રનું શરણ છે; કેાઈ તેને ખારણેથી ખાલી હાથે પાછું ક્તું નથી. માટે હું તેની પાસે જઈ મારું દુઃખ દૂર કરવા ઈચ્છું છું.” તે સાંભળી કોશલરાજે જરા હસીને પેાતાની આંખમાં આવતાં આંસુ છુપાવી દીધાં. ત્યાર બાદ ચૂપ રહી કાંઈક વિચાર કરી લીધા અને કહ્યું, ‘ભાઈ ! તું ઘણી મુશ્કેલીએ વેઠતા આટલે દૂર આવ્યેા છે, તેા તારી મન:કામના પૂર્ણ થાય તેવા મા તને બતાવું.' એમ કહી તે તેને સાથે લઈ ને ચાલ્યે. . કાશીરાજ દરબાર ભરીને બેઠા છે. ત્યાં એક જટાધારી વનવાસી આવીને ઊભા રહ્યો. રાજાએ માં મલકાવીને તેને પૂછ્યું, · શા કારણસર તમારું આવવું થયું છે? ખુશીથી કહેા. તમારી જે કાંઈ કામના હશે તે કાશીરાજ જરૂર પૂરી કરશે.' પેલા જટાધારીએ ધીરે ધીરે કહ્યું, ‘ કાશીરાજ! હું કેશલરાજ છું; મને પકડી લાવે તેને જે માટું ઇનામ આપવાનું તમે જાહેર કર્યું" છે, તે મારા આ જોડીદાર વિણકને આપેા. તે ભારે મુશ્કેલીમાં આવી પડચો છે; મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66