Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ સત્ય સમાન કશું શક નથી તે જોઈ બ્રાદતે કહ્યું: “હે કુમાર! નાનપણથી પૈયશાળી તરીકે તારી ખ્યાતિ દૂર દૂર ફેલાયેલી છે, પરંતુ અત્યારે મૃત્યુના ડરથી તું આમ કાયરની પેઠે રડવા બેઠા છે, એ તને ક્ષત્રિયને શોભે છે?” - સુતસામે જવાબ આપેઃ “ભાઈહું મારે માટે કે મારાં સગાંવહાલાં માટે શેક કરતો નથી. પરંતુ મારી કીતિ સાંભળી એક બ્રાહ્મણ દૂર દેશથી મને ચાર કે વેચવા માટે આવ્યા છે, તેને મેં તેના લેક ખરીદી લેવાનું વચન આપી મારા મહેલમાં બેસાડ્યો છે. મારાથી હવે તે વચન પાળી શકાશે નહિ, એને મને ખેદ થાય છે. તું જે મને છેડી દે, તો હું તે બ્રાહ્મણના લેક સાંભળી, તેને યોગ્ય ઈનામ આપી, પાછો આવું.” નરભક્ષક બેઃ “વાહ! એવી વાત ઉપર ભરોસે રાખવા જેટલે હું મૂર્ખ નથી! મૃત્યુના મુખમાંથી છૂટીને સુખરૂપ પિતાને ઘેર પહોંચેલે માણસ ફરી પોતાની મેળે પિતાના શત્રુ પાસે પાછો જાય, એમ બને ખરું?” સુતો મે કહ્યું: “ભાઈ! બીજાની વાત ગમે તે હોય, પરંતુ હું તે અસત્ય બેલીને જીવતા રહેવા કરતાં મૃત્યુને વધુ પસંદ કરું છું. જૂઠું બોલીને કદાચ તારા હાથમાંથી તે છુટાય, પરંતુ દુર્ગતિમાંથી કેવી રીતે છુટાય? છતાં તને મારી પતીજ ન પડતી હોય, તે હું મારી તલવારના સગંદ ખાઉં છું.” ક્ષત્રિયને મુખે તલવારના સોગંદ સાંભળી, બહાદત્ત પણ વિચારમાં પડ્યો. છેવટે તેણે એ નિશ્ચય કર્યો કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66