Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ ૫૪ પ્રાચીન શીલકથાઓ એકદમ ખૂબ જોરથી દોડવા લાગે છે. મને થયું કે, ઘેાડાએ કેમ આમ કરે છે? ત્યારે અચાનક મને સમજાયું કે, તે દિવસે મે આ જગાએ રથ આવતાં, રાજા પલળશે એ બીકે ઘેાડાઓને ચાબુક માર્યાં હતા; એટલે આ સમજદાર ઘેાડાએ ત્યારથી માંડીને આ સ્થાન આવતાં બેફાટ દોડે છે. હવે મને થાય છે કે, મહાર ફરવા નીકળ્યા હોઈ એ અને અધવચ વરસાદ પડે, તા થૈડું પલળાય પણ ખરું. પરંતુ તે દિવસે મેં વેગથી દોડતા ઘેાડાઓને ખામુખા ચાબુક માર્યાં, એ ઠીક ન કર્યું. આમ, એ પ્રાણીઓને હું નાહક ત્રાસનું કારણ બન્યા, ત્યારથી મારા કુરુધ ખંડિત થયેલે માનું છું. માટે અખંડ કુરુધમાં જોઈ તા હાય, તે તે અમારા નગરશેઠ પાસે જાએ. છતાં કલિંગવાળાઓએ તે રાજસારથિના ધર્મને અખંડિત રહેલા માની, તેની પાસેથી પણ ધમ લખી લીધેા. પછી તેના આગ્રહથી તેઓ નગરશેઠ પાસે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66