Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ પ્રાચીન શીલકથાઓ બધે પ્રયત્ન કરીને ધર્મમાર્ગમાં આપે બતાવેલે રસ્તે દઢતા મારે પ્રાપ્ત કરી લેવી જેથી આપની ગેરહાજરીમાં હું ભમિયાને અભાવે આમતેમ અથડાઈ–કુટાઈને નાશ ન પામું.” બુદ્ધ ભગવાને આ સાંભળી, તેને આશીર્વાદ આપ્યા, તથા સૌ ભિક્ષુઓને ઉદ્દેશીને કહ્યું: “હે ભિક્ષુઓ ! મારા પ્રત્યે ભક્તિ રાખવાની આ જ સાચી રીત છે. જેઓ પુષ્પ તથા સુગંધીથી મારી પૂજા કરે છે, તે મારી સાચી પૂજા નથી કરતા; પરંતુ જેઓ મેં બતાવેલે માગે જવા તથા સ્થિર થવા પ્રયત્ન કરે છે, તેઓ જ મારા સાચા પૂજકે છે.” ૧૪ બુદ્ધને ચમત્કાર એક વખત ભગવાન બુદ્ધ ફરતા ફરતા નાલંદા નગરીમાં આવ્યા, અને ત્યાંના આંબાવાડિયામાં ઊતર્યા. તે વખતે કેવધ્ધ નામને એક જુવાનિયે તેમની પાસે આવ્યા અને તેમને નમસ્કારાદિ કરી એક બાજુએ બેઠે. ત્યાર બાદ તે કહેવા લાગ્યાઃ - “હે ભદંત! આ અમારી નાલંદા બહુ સમૃદ્ધ છે, વિશાળ છે, લેકેથી ભરપૂર છે, તથા આપના પ્રત્યે આદરભાવવાળી છે. એટલે આપ જે આપના કેઈ ભિક્ષુને કશેક ૧. બિહારમાં આવેલું પ્રાચીન વિદ્યાપીઠનું ધામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66