Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ ૧૨ કુરુધર્મ કુરુ દેશના રાજા પોતાના પાંચ કુરુધર્મો બરાબર પાળતે હતે. એક વખત, પાસેના કલિંગ દેશમાં વરસાદ ન વરસવાથી દુકાળ પડ્યો. પ્રથમ ભૂખમરે શરૂ થયે, અને પછી રેગચાળ. આ હાડમારીઓથી ત્રાસેલા લોકે છોકરાને આંગળીએ વળગાડી, આમથી તેમ ભટકવા લાગ્યા, અને છેવટે રાજાને દરવાજે ધા નાખવા ભેગા થયા. રાજાએ પૂછ્યું: વરસાદ ન પડે ત્યારે વરસાદ લાવવા પહેલાંના રાજાઓ શું કરતા? - તેઓએ કહ્યુંઃ વરસાદ ન વરસે ત્યારે પહેલાંના રાજાઓ દાન આપતા, ઉપવાસ કરતા, શીલ પાળતા અને સાત દિવસ દાભને સાથરે સૂતા; એટલે વરસાદ વરસતે. રાજાએ તેમ કર્યું, પણ વરસાદ ન વરસ્યું. તેણે અમાત્યને પૂછ્યું. તેઓએ કહ્યુંઃ કુરુ રાજાને રાજહાથી શુકનવંતે ગણાય છે. તેને આપણું રાજ્યમાં લઈ આવે, તે વરસાદ વરસે. રાજાએ કહ્યું પણ રાજાને હરાવ્યા વિના તેને હાથી શી રીતે લવાય? એ તે બને એવું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66