________________
૧૨
કુરુધર્મ
કુરુ દેશના રાજા પોતાના પાંચ કુરુધર્મો બરાબર પાળતે હતે.
એક વખત, પાસેના કલિંગ દેશમાં વરસાદ ન વરસવાથી દુકાળ પડ્યો. પ્રથમ ભૂખમરે શરૂ થયે, અને પછી રેગચાળ. આ હાડમારીઓથી ત્રાસેલા લોકે છોકરાને આંગળીએ વળગાડી, આમથી તેમ ભટકવા લાગ્યા, અને છેવટે રાજાને દરવાજે ધા નાખવા ભેગા થયા.
રાજાએ પૂછ્યું: વરસાદ ન પડે ત્યારે વરસાદ લાવવા પહેલાંના રાજાઓ શું કરતા?
- તેઓએ કહ્યુંઃ વરસાદ ન વરસે ત્યારે પહેલાંના રાજાઓ દાન આપતા, ઉપવાસ કરતા, શીલ પાળતા અને સાત દિવસ દાભને સાથરે સૂતા; એટલે વરસાદ વરસતે.
રાજાએ તેમ કર્યું, પણ વરસાદ ન વરસ્યું. તેણે અમાત્યને પૂછ્યું. તેઓએ કહ્યુંઃ કુરુ રાજાને રાજહાથી શુકનવંતે ગણાય છે. તેને આપણું રાજ્યમાં લઈ આવે, તે વરસાદ વરસે.
રાજાએ કહ્યું પણ રાજાને હરાવ્યા વિના તેને હાથી શી રીતે લવાય? એ તે બને એવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org