Book Title: Prachin Shilkathao
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ પ્રાચીન શીલકથાઓ નહીં; દર્ભને ચૂંટી ચૂંટી ઢગલા કરવામાં આવ્યા નહીં; અને દાસને તથા મજૂરેને જબરદસ્તીથી કામે લગાડવામાં આવ્યા નહીં. જેમની ઈચ્છા હતી તેમણે જ કામ કર્યું. અને જેમની ઈચ્છા ન હતી તેમણે ન કર્યું. ઘી, તેલ, માખણ, દહીં, મધ, અને ગેળ, એટલા પદાર્થોથી તે યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો. પછી રાજ્યના શ્રીમંત કે રિવાજ મુજબ મોટાં મેટાં નજરાણું લઈને રાજા પાસે આવ્યા. રાજાએ તેમને જણાવ્યું કે મારે તમારાં નજરાણુની જરૂર નથી, કારણ કે, પ્રજા પાસેથી ધાર્મિક કરરૂપે ઉઘરાવેલું પુષ્કળ દ્રવ્ય હજી મારી પાસે પડેલું છે. તેમાંથી તમારે કાંઈ જાહેર હિત માટે જોઈતું હોય તે લઈ જઈ શકે છે.” - રાજાએ નજરાણું સ્વીકારવાની ના પાડવાથી કે એ તે પૈસામાંથી આંધળા-લંગડા વગેરે અપંગ લોકે માટે રાજાની યજ્ઞશાળાની ચારે દિશાએ અનાથશાળ બંધાવી. આ પ્રમાણે મહાવિજિત રાજાને યજ્ઞ સર્વને પ્રિય તથા કલ્યાણકારી નીવડ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66