________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૯૭ અને તા. ૧૬-૧૦-૯૩
વાલ્મીકિ રામાયણના કિષ્કિન્યાકાંડમાં વાલ્મીકિએ રામના મોંમાં મૂકેલી શુભ-અશુભને લગતી ઊંક્તિ સાથે સરખાવી શકાય. વાલી રામ ઉપર પોતાને સંતાઈને મારવામાં અધર્માચરણ કર્યું હોવાનો આક્ષેપ કરે છે તેના ઉત્તરમાં રામ કહે છે, વિશુઃ સર્વભૂતાનામાત્મા વેઃ રામામય્ (સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા શુભ અને અશુભ શું તે જાણે
મૅસ્લો માનતા કે હરકોઈ વ્યક્તિ શાંત ચિત્તે કોઈ પણ પ્રકારનો સભાન પ્રયત્ન કર્યા વિના, અંગ્રેજ કવિ વર્ઝવર્થે જેને 'Wise passiveness’ જ્ઞાનપૂર્વની માનસિક નિશ્ચિત કહી છે, એવા ભાવથી
પોતાના અંતરના અવાજને સાંભળતાં શીખે તો તે તેના હૃદયમાં સ્કૂરતી • શુભની પ્રેરણાઓ ઓળખી શકશે. આવી જ શ્રદ્ધાથી પ્રેરાઈ ગાંધીજી કોઈ
પણ પગલું ભરતાં પહેલાં પ્રાર્થનામય ભાવથી પોતાના અંતરનો અવાજ (એમના શબ્દોમાં The still small voice within) સંભળાય તેની પ્રતીક્ષા કરતાં, જો કે તેઓ ૧૯૨૦-૨૧ના અસહકારના આંદોલન વેળા દેશને એક વર્ષમાં સ્વરાજ અપાવવા એટલા અધીરા બની ગયા હતા કે તેમણે પોતાના અંતરના અવાજોને ખોટી રીતે સાંભળ્યો હતો અને તેથી તેઓ પ્રજાની હિંસાવૃત્તિને ઉશ્કેરે એવી તણખા ઝરતી વાણીમાં બ્રિટિશ સરકારની નીતિરીતિઓની ટીકા કરતા હતા અને છેવટે ૧૯૨૨ના ફેબ્રુઆરીની નથી એ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરીચોરાનો હત્યાકાંડ બન્યો તે પછી જ તેઓ પોતાની ભૂલ સમજ્યા હતા અને પોતાની એ ભૂલ તેણે જાહેરમાં કબૂલ કરી હતી. ગાંધીજીએ શ્રીમતી વિજ્યાબહેન પંચોળી ઉપરના એક પત્રમાં લખ્યું હતું: ઈદ્રિયોનો ઘોંઘાટ આપણને આત્માનું મૃદુ સંગીત સાંભળવા દેતો નથી. સંભવ છે અસહકારના આંદોલનનાં એ બે વર્ષ દરમિયાન ગાંધીજીને પણ ઈદ્રિયોના ઘોંધાટનો અનુભવ થયો હોય. નરસિંહરાવ દિવેટિયાએ ગાંધીજી ઉપર એક જાહેર પત્ર લખી પોતે તેમનામાં ૧૯૧૫માં સાત્ત્વિક વૃત્તિ જોઈ હતી તેના બદલે તેમનામાં હવે રાજસિક વૃત્તિ દેખાય છે એમ કહ્યું પણ હતું.
જે સ્ત્રીપુરુષો આવી સંપૂર્ણ માનસિક નિષ્ક્રિયતાથી પોતાના અંશના અવાજને ઓળખી તેને અનુસરે છે તેનું જીવન Growth-oriented વિકાસલક્ષી અને એમ નહિ કરનાર સ્ત્રી પુરુષોનું જીવન Defence-oriented સ્વરક્ષણલક્ષી હોય છે એમ મૅસ્લો માનતા, એટલે કે પહેલા વર્ગનાં સ્ત્રીપુરુષો સતત નવાનવા જીવનરસો અનુભવતાં રહે છે અને બીજા વર્ગનાં સ્ત્રીપુરુષો પોતાની વર્તમાન મનોવૃત્તિને વળગી રહેતાં હોય છે. ફોઈડી મનોવિજ્ઞાન અનુસાર બધાં બાળકો સ્વરક્ષણને વૃત્તિના હોય છે જાણેકે તેમને નિસરણીનાં પગથિયાં ચઢવાનો ભય લાગતો હોય છે અને તેમને ધક્કો મારીને ઉપર ચઢાવવા પડતાં હોય છે. આથી ઊલટું મૅસ્લો માનતા કે શરીર અને મનથી નીરોગી, પોતાની પરિસ્થિતિમાં સંપૂર્ણ સલામતી અનુભવતા (Secure) અને સુખી બાળકો પોતાની શક્તિઓનો વિકાસ સાધવા, પોતાની બાળકવૃત્તિમાંથી મુક્ત થવા (to mature) ઉત્સુક હોય છે. તેઓ કહેતા કે કોઈ વ્યક્તિ પોતનાં જુના પગરખાં ફેંકી દે તેમ એવાં બાળકો પોતાની જૂની પરિસ્થિતિને અનુકૂળ બનવા મેળવેલી ને હવે નિરુપયોગી બનેલી ટેવો (the old adjustment) છોડીને નવી પરિસ્થિતિને અનુકૂળ હોય એવી ટેવો કેળવવા તત્પર રહે છે. એમ સતત પ્રગતિ કરતા રહેવામાં, શરીર અને મનની નવીનવી આવડતો (Skills) મેળવવામાં અને તેમના વિનિયોગમાં કુશળતા પ્રાપ્ત કરવામાં એવાં બાળકો આનંદ અનુભવે
છે. એમનામાં ક્યારેક માનસિક રોગો દેખાતા હોય છે તેમને મૅસ્લો | બાળકોની વિકાસવૃદ્ધિ (Impluse toward growth) અતૃપ્ત રહેતાં
વિકૃત રૂપ ધારણ કરે છે તેનું જ પરિણામ હોવાનું માનતા.
મૅસ્લોની પરિભાષામાં પોતાનો વિકાસ સાધવા તત્પર રહેતી વ્યક્તિ self-actualising હોય છે, અર્થાત એવી વ્યક્તિ પોતાની સર્વ પ્રવૃત્તિઓમાં એનાં આંતરપ્રયોજનોને સિદ્ધ કરવા પ્રયત્નશીલ રહે છે. એવી સ્વપ્રયોજનનિષ્ઠ વ્યક્તિ કોઈ આ કે તે મહત્ત્વાકાંક્ષા અથવા વ્યક્તિગત ધ્યેય સિદ્ધ કરવા નહિ પણ પૂર્ણ માનવતા (full, humanness) પ્રતિ ગતિ કરવા ઉત્સુક હોય છે અને એ અર્થે કોઈ પણ પ્રકારની ભ્રાન્તિને વશ થયા વિના સતત જાગૃત રહી પોતાના વિકાસની જવાબદારી પોતે જ જ્ઞાનપૂર્વક સ્વીકારે છે. મૅસ્લો માનતા કે એવી પ્રયોજનનિષ્ઠ વ્યક્તિઓ એક પણ અપવાદ વિના પોતાના સ્વાર્થના ક્ષેત્રની બહાર એવા કોઈ ઉમદા ધ્યેયને વરેલી હોય છે. (are involved in a cause outside their own skin) અને કોઈ બિનંગત કર્તવ્યની વેદી, ઉપર પોતાને સંપૂર્ણ પણે સમર્પિત કરી દે છે. ગાંધીજીએ એમની 'હિંદ સ્વરાજ' પુસ્તિકાને અંતે પોતાની કલ્પનાનું સ્વરાજ લેવા ખાતર આ દેહ અર્પણ છે એમ મન સાક્ષી પૂરે છે કહી સ્વેચ્છાએ એવું આત્મસમર્પણ કર્યું હતું. મૅસ્લોના મતે એવા આત્મસમર્પણને વ્યક્તિ પોતાનું સદ્ભાગ્ય માને છે, એનામાં મને કરવું ગમે છે અને મારે કરવું જોઈએ એ બે પ્રવૃત્તિઓ એકરૂપ થઈ જાય છે, એટલે કે પોતે જે કરવું જોઈએ એ તેને ગમે જ છે. મૅસ્લો માનતા કે કોઈ વ્યક્તિને પોતાને મનગમતું કામ કરવા સારુ વેતન મળે તે એ વ્યક્તિને વિધાતાએ આપેલી સુંદરમાં સુંદર બક્ષિસ (the most beautiful fate) અને મહા અદ્ભુત સદ્ભાગ્ય (the most wounderful good fortune) ગણાય.
મૅસ્લો વ્યક્તિની જરૂરિયાતોની ઉચ્ચાવચતા (heirarchy of needs) સ્વીકારી તેમના શારીરિક, માનસિક અને મૂલ્યાત્મક એવા ત્રણ વર્ગ પાડત. પહેલા વર્ગમાં તેઓ આપણા શાસ્ત્રકારોની જેમ આહાર, નિદ્રા અને મૈથુનને ગણાવતા, પણ એ ત્રણમાં તેમણે જ્ઞાનેન્દ્રિયોની અને કર્મેન્દ્રિયોની તૃતિકર પ્રવૃત્તિ અને સ્ત્રીઓ સારું નૈસર્ગિક સરળ પ્રસૂતિ (natural child-birth) તથા માતૃત્વની ભાવનાની તૃપ્તિ ઉમેર્યા હતા. તે સાથે મેસ્કોએ શારીરિક શ્રમની અને શારીરિક ક્લેશોની તિતિક્ષાને શારીરિક જરૂરિયાતોમાં ગણાવ્યાં હતાં.
માનસિક વર્ગની જરૂરિયાતોમાં મૅસ્લો નિશ્ચિતતા (sense of security) સ્થળ અને વ્યક્તિઓ સાથે પોતાપણાની ભાવના (sense of belonging), પ્રેમ, માનની આકાંક્ષા તથા આત્મગૌરવની ભાવના (self-esteem)ગણાવતા. ત્રીજા સૌથી ઊંચી, મૂલ્યાત્મક જરૂરિયાતોના વર્ગમાં મૅસ્સો આપણી પરંપરામાં જેને સત્યમ, શિવમ્ અને સુંદરમ્ કહ્યાં છે તે ભાવનાઓને મૂક્તા.
પહેલા બે વર્ગની જરૂરિયાતોને મૅસ્લો પ્રાથમિક જરૂરિયાતો (basic needs) કહેતા અને તેમને અભાવાત્મક જરૂરિયાતો (deficiency needs) માનતા. ત્રીજા વર્ગની જરૂરિયાતોને મૅસ્લો ભાવાત્મક જરૂરિયાતો (Being-needs) કહેતા અને તેમને માણસજાતની પરા અથવા સર્વોત્કૃષ્ટ જરૂરિયાતો (meta-needs) હોવાનું માનતા. મેસ્લો આ ત્રણે વર્ગની જરૂરીયાતો વચ્ચે ભેદ હોવાનું માનતા છતાં તેઓ તેમને માણસના પ્રકૃતિજન્ય સ્વભાવનો અંશ (instintoid) હોવાનું માનતા અને તેથી તેઓ વ્યક્તિની શારીરિક, માનસિક અને મૂલ્યાત્મક જરૂરિયાતો વચ્ચે સાતત્વ રહેલું હોવાનું માનતા. (The value-life is an aspect of human biology and on the same continue with the lower animal life) એટલે કે આપણે જેને પ્રકૃતિ (nature) અને આત્મા (spirit) તરીકે ઓળખીએ તે એક બીજાથી ભિન્ન તત્ત્વો નથી પણ એક જીવતત્ત્વના બે આવિષ્કારો છે. મૅસ્લોની આ માન્યતા શ્રી અરવિદે matter-life-mined-overmind-supermind