Book Title: Prabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 123
________________ તા. ૧૬-૧૨-૯૩ પ્રબુદ્ધ જીવન વર્તમાન પરિસ્થિતિ એટલી બધી છિન્નભિન્ન અને અયોગ્ય વળાંકવાળી બની છે કે એનો ઉપાય શોધવો ઘણો કઠિન છે. બાજી હાથથી સરકી ગયા જેવો ખેલ બન્યો છે. તેથી વસતિવધારાનું ગાણું ગાવાને બદલે સૌ કોઇ એક્બીજાને ઉપયોગી થવાની કિંમત માગ્યા વિના પરસ્પર ઉપયોગી થાય તો ધીમે ધીમે વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું શક્ય બને. અલબત્ત કોઇનો ટાંટીયો ખેંચવો કે યેન કેન પ્રકારેણ મોટી આવક ઊભી કરવી વગેરે જેવાં અન્ય વ્યક્તિનાં ખતરનાક કાર્યો માટે ટેકો આપવો કે ઉપયોગી થવાની વાત હોય જ નહિ. મુખ્ય મુદ્દો એ છે કે અનુભવીઓ અને જાણકારો ઊગતી પેઢીને પ્રેમભાવથી અને નિખાલસતાપૂર્વક યોગ્ય માર્ગદર્શન આપતા રહે તો વૈયક્તિક તેમજ સમષ્ટિની દૃષ્ટિએ વર્તમાન વણસેલી પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિ થવા લાગે એ શેખચલ્લીના વિચારો જેવી બાબત નથી. આ માટે અનુભવીઓ અને જાણકારોએ બીક રાખવી ન ધટે કે માર્ગદર્શન આપવાથી પોતાની કિંમત ઘટશે કે પોતાનું સ્થાન જશે. જેમ દીકરો બાપથી સવાયો થાય તો બાપ તેવા દીકરાનું ગૌરવ લે અને તેણે લેવું જ જોઇએ, તેમ શીખવનાર કરતાં શીખનાર સવાયો થાય તો તે અંગે શીખવનારે ગૌરવ લેવું જોઇએ. વળી, આવા જાણકારો પોતાની જાણકારીનું પુસ્તક પણ લખી શકે જેથી અનેકને તે જ્ઞાન, માર્ગદર્શન વગેરેનો લાભ મળે. તેવી જ રીતે ઊગતી પેઢીના લોકોએ પણ પોતાનાં ક્ષેત્રમાં પ્રવેશ મળે એટલે અનુભવીઓ અને જાણકારો પાસેથી નમ્ર શિષ્યભાવ રાખીને જ્ઞાન, કૌશલ્ય, જાણકારી વગેરે મેળવવામાં અંશમાત્ર નાનમ ન જ અનુભવવી ઘટે. આ નમ્રતા અને ૠણભાવ કાયમી રહેર્યાં ઘટે. તદૃન આપમેળે જાણકારી પ્રાપ્ત કરનાર વિરલ હોય છે. એકલવ્ય અર્જુનને ઝાંખો પાડી દે એવી બાણવિદ્યા આપમેળે જરૂર શીખ્યો, તો પણ તેનામાં ગુરુ પ્રત્યે અસીમ શ્રદ્ધા અને અપાર પરિશ્રમ તથા લગની હતાં એ ન જ ભૂલવું ઘટે. પોતે સમાજને કંઇક નથી આપ્યું એવું જીવન વ્યક્તિને પોતાની સાર્થકતાના અભાવનું ભાન કરાવે છે, ખાલીપાની લાગણીનો અનુભવ કરાવે છે. આ પ્રકારનાં વ્યથા અને ખિન્નતા તન અને મનનાં સ્વાસ્થ્યમાં ગરબડ કરે છે. સમાજ પ્રત્યેનું યોગદાન એટલે પોતાનાં કાર્યક્ષેત્રની જાણકારી પ્રાપ્ત કરવી અને તદનુરૂપ પ્રામાણિકપણે ઉદ્યમ કરતાં રહેવું. વળતર માટે કામ કર્યું તેથી યોગદાન ન ગણાય એમ વ્યક્તિ માનવા તૈયાર થાય; પરંતુ માણસ માત્ર વળતર લેનાર પ્રાણી નથી, તેનામાં ચૈતન્ય છે, આદર્શનાં અરમાનો હોય છે, કંઇક વિશિષ્ટ કરવાની ધગશ હોય છે, તેને અંતરાત્મા હોય છે-તેનું આ મનુષ્યત્વ વળતરથી પર હોય છે. જે માણસ પોતાના અંતરાત્માના અવાજને સાંભળીને કામ કરે છે તેની કિંમત વળતરમાં આંકી શકાતી નથી-આ બને છે વ્યક્તિનું યોગદાન. છેલ્લે, જૂના અનુભવી કાર્યકારો, જાણકારો, અમલદારો, હિતેચ્છુઓ, સલાહકારો જુદા જુદા પ્રકારના નેતાઓ વગેરે લોકોએ ‘common Good-સામાન્ય શુભ માટે યુવાનોને ક્ષેત્ર પ્રમાણે મોટાં મનથી માર્ગદર્શન આપવામાં ગૌરવ અને આનંદ અનુભવવા જોઇએ. સૌ કોઇ ઉચિત અર્થમાં પ્રગતિ કરે તે માટે યથામતિ અને યથાશક્તિ યોગદાન આપવું એ માનવજીવનનો અનન્ય લહાવો છે. આ પવિત્ર અને ઉમદા કાર્યની કોઈ કદર નહિ કરે તો ભગવાન ( વિશ્વની પરમ સત્તા) અવશ્ય કદર કરશે અને જે કદર અનન્ય જ હોય એવી શ્રદ્ધ રાખવી સર્વથા હિતાવહ છે. આ સત્યની પ્રતીતિ સાથે જીવનનાં દરેક ક્ષેત્રમાં મોટેરાઓ નાનેરાઓને પોતાના ગણીને પોતાની જાણકારી, આવડત, કૌશલ્ય વગેરેનો ૭ પ્રેમથી લાભ આપે તો આજે સમાજમાં જે કાગારોળ, દેકારો અને હોબાળો મચતાં રહે છે તે શમવા પામે અને સમગ્ર જીવનવ્યવહાર કોઇ સારા લેખકે સ્વપ્નદૃષ્ટા તરીકે પોતાની નવલકથામાં વ્યક્ત કર્યા હોય તે આ ધરતી પર સાકાર બનવા પામે. આપણે સૌ Common Good-સામાન્ય શુભ માટે, સૌ કોઇની ઉચિત સુખાકારી માટે નિ:સ્વાર્થભાવે અને સહૃદયતાથી ‘કંઇક` અચૂક કરતા રહીએ તો આપણો બહારથી રૂડોરૂપાળો લાગતો પણ અંદરથી છિન્ન-ભિન્ન, કદરૂપો અને દરિદ્ર જીનવ્યવહાર યોગ્ય અર્થમાં સુંદર અને સમૃદ્ધ બનતો રહેશે. અલબત્ત લોભામણાં ઇંદ્રિયસુખોની મોહજાળમાં વીસરાઇ ગયેલાં આ સત્ય માટે સૌ કોઇએ કમર કસવાની અવશ્ય રહે છે. num શ્રી પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ તથા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંયુક્ત ઉપક્રમે એક વિશિષ્ટ વર્કશોપ અમને જણાવતાં આનંદ થાય છે કે શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ તથા શ્રી મુંબઈ જૈન યુવક સંધના સંયુક્ત ઉપક્રમે નવયુવાનો માટે શનિવાર તથા રવિવાર, તા. ૧૨ અને ૧૩ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ નીચેના વિષય ઉપર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. એનું સંચાલન તે વિષયની નિષ્ણાત વ્યક્તિઓ કરશે. વિષય :PERSONAL GROWTH AND LEADERSHIP DEVELOPMENT નોધ : (૧) આ વર્કશોપની કાર્યવાહી અંગ્રેજી ભાષામાં રહેશે. (૨) વર્કશોપ શનિવારે સવારના ૯-૦૦ વાગ્યાથી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી તથા રવિવારે સાવારના ૧૦-૦૦ વાગ્યાથી ૧-૦૦ વાગ્યા સુધી રહેશે. (૩) શનિવારે બપોરનું ભોજન આયોજકો તરફથી આપવામાં આવશે. (૪) યોગ્યતા : ભાગ લેનાર વ્યક્તિ ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવી જોઈએ. (૫) ભાગ લેનાર વ્યક્તિએ સંઘના કાર્યાલયમાં રજિસ્ટ્રેશન ફી તરીકે રૂ. ૧૦૦/- ભરવાના રહેશે. બાકીનો તમામ ખર્ચે સ્મારકનિધિ ભોગવશે. (૬) ભાગ લેનાર વ્યક્તિએ દસેક લીટીમાં પોતાનો લેખિત પરિચય આપવાનો રહેશે અને તે પછી તેની જે પસંદગી થશે તો જ તે વર્કશોપમાં ભાગ લઈ શકશે. તે અંગે સંઘના કાર્યાલયનો સંપર્ક કરવો. (૭) વર્કશોપનું સ્થળ નક્કી થયે તથા તેના કાર્યક્રમની વિગતો નક્કી થયે ભાગ લેનારાઓને તેની જાણ વ્યક્તિગત રીતે કરવામાં આવશે. નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ માનદ્ મંત્રીઓ રમણલાલ ચી. શાહ સૂર્યકાંત છો. પરીખ મેનેજિંગ ટ્રસ્ટીઓ પ્રદીપ એ. જે. શાહ સંયોજક

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136