Book Title: Param Tattvani Upasana
Author(s): Kalapurnsuri
Publisher: Vardhaman Tattvagyan Vidyalaya Mundra

View full book text
Previous | Next

Page 30
________________ [ (૫) શ્રી સુમતિ જિન સ્તવન | વ્યવહારનયની અપેક્ષાએ અરિહંત પરમાત્મા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં પુષ્ટ નિમિત્ત છે. તેમનાં આલંબન, સ્મરણ, ચિંતન, ધ્યાન વિના કોઇ પણ આત્મા પોતાના સુદ્ધ સ્વરૂપને ઓળખી કે અનુભવી શકતો નથી. તો મોક્ષપ્રાપ્તિની વાત જ ક્યાં રહી ? એટલું જ નહિ, પણ સમ્યગુ દર્શનાદિ સર્વ ઉચ્ચ ભૂમિકાઓની પ્રાપ્તિ પણ શ્રી અરિહંત પરમાત્માની કૃપાથી જ થાય છે, માટે સર્વ સદ્ગુણો, સંપત્તિઓ અને યાવતું મોક્ષસુખના દાતા શ્રી અરિહંત પરમાત્મા છે. આ રીતે, પ્રભુનું પુષ્ટ નિમિત્ત કતૃત્વ મુમુક્ષુ સાધકોની આત્મસાધનામાં અતિશય ઉપકારક છે. પ્રભુના નિમિત્ત કર્તુત્વ વિના સાધકના જીવનમાં સંભવિત અહંભાવ – “હું મારા પુરુષાર્થથી જ હું આગળ વધી રહ્યો છું”, એવું અભિમાન દૂર થવું શક્ય નથી. આવાં અનેક ભયસ્થાનોથી બચવા અને મોક્ષલક્ષી સર્વ સાધનાઓનાં વાસ્તવિક ફળને પામવા જીવનમાં કૃતજ્ઞતા અને નમ્રતાનુણ કેળવવો અનિવાર્ય છે, અને તેમાં ઉત્તરોત્તર વિકાસ પરમાત્માની આદરબહુમાનપૂર્વક સેવા-ભક્તિ કરવાથી જ થાય છે. આમ, પ્રભુનું નિમિત્ત કતૃત્વ માનવું – સ્વીકારવું અતિ આવશ્યક બની રહે છે. નિશ્ચયર્દષ્ટિને લક્ષ્યમાં રાખી જે પુણ્યાત્મા, વ્યવહારના પાલનમાં તત્પર બને છે તે ભવસમુદ્રનો શીધ્ર પાર પામી શકે છે.” અરિહંત પરમાત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા હોવાથી, કોઇના ઉપર રાગવશ અનુગ્રહ કે દ્વેષવશ નિગ્રહ કરતા નથી, છતાં ભવ્ય જીવોને પ્રભુએજ્ઞાની આરાધના કરવાથી મોક્ષપ્રાપ્તિરૂપ અનુગ્રહ અને પ્રભુ આજ્ઞાની વિરાધના કરવાથી ભવભ્રમણ રૂપ નિગ્રહ અવશ્ય થાય છે. પરસ્પર વિરોધી અનેક ધર્મોનો પણ અપેક્ષાએ એક વસ્તુમાં સમન્વય કરવાની અદ્દભુત શક્તિ એકમાત્ર સ્વાવાદ શૈલીમાં જ રહેલી છે. સુજ્ઞ જિજ્ઞાસુ સાધકોએ સદ્ગુરુના સમાગમ દ્વારા આ ચાવાદના સૂક્ષ્મ સ્વરૂપને સ્પષ્ટ રીતે સમજી તેનો સદુપયોગ શાસ્ત્રોનાં સૂક્ષ્મ-ગહન તત્ત્વોના રહસ્યને જાણવા અને જીવનમાં અનુભવવા માટે કરવો જોઇએ. (કડખાની દેશી) અહો શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી, - સ્વગુણ-પર્યાય-પરિણામ રામી | નિત્યતા, એકતા, અસ્તિતા ઇતરયુત, ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી અહો ! ૧ / હે સુમતિનાથ પ્રભુ ! સ્વગુણ પર્યાયમાં જ રમણતા કરનારા આપની શુદ્ધતા અતિશય આશ્ચર્યકારક છે, કારણ કે આપની શુદ્ધતા નિત્યતા, અનિત્યતા, એકતા, અનેકતા, અસ્તિતા અને નાસ્તિતા રૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોથી યુક્ત છે; તેમ જ આપ ભોગ્ય=જ્ઞાનાદિ ગુણ પર્યાયના ભોગી હોવા છતાં પણ અકામી - કામના રહિત છો; એ પણ મહાન આશ્ચર્ય છે ! ઊપજે વ્યય લહે તહવિ તેહવો રહે, ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડી ! આત્મભાવે રહે અપરતા નવિગ્રહે. લોક-પ્રદેશ-મિત પણ અખંડી... અહo | ૨ ||. હે પ્રભુ ! આપની ગુણ પર્યાયમયી શુદ્ધતા કેવી અદ્ભુત છે ! એ જે સમયે ઉત્પન્ન થાય છે, તે જ સમયે નાશ પામે છે અને ધ્રુવ પણ રહે છે; અર્થાત્ તે શુદ્ધતામાં નવીન પર્યાયનો ઉત્પાદ અને પૂર્વ પર્યાયનો ક, શક પક, શક, છ, જ, પરમતત્ત્વની ઉપાસના * ૨૯ શe we what we ee, . જોંક , , છોક પરમતત્વની ઉપાસના * ૨૮ ક. જો શક . જj

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90