Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 558
________________ ૫૫૦ છે અને “શ્રીકૃષ્ણનું બાબળ સાંપ્રતકાળે આપણું જોઈએ. એવો વિચાર કરી તે પાંડવો, તે હું SS શ્રીકૃષ્ણને માટે પાછી નૌકા ન મોકલતા હવા. ત્યારપછી સુસ્થિત એવો જે લવણાધિપતિ-તેનો છે. નિરોય લઈ શ્રીકૃષ્ણ ગંગાની તીરે પ્રાપ્ત થયા; તો ત્યહાં નૌકા મળે નહીં. એવું જોઈને પોતાના વામ હસ્તવિષે પોતાના રથને લઈને, બીજા બાહુએ તે ગંગાને તરવા માટે આરંભ કરતા હવા. 5 તે શ્રીકૃષ્ણ. તે ગંગાનદીના પ્રવાહમયે મહા સંકટે તરતા થકા પોતાના ચિત્તમાં ચિંતન કરવા ' લાગ્યા કે “જે આ ગંગાને તડીપાર પામ્યા, એવા તે પાંડવો ખરે જ મહા સ્તુતિ કરવા યોગ્ય છે. તે છે. એવું પોતાના અંતઃકરણમાં ચિંતન કરી શ્રીકૃષ્ણ, તે ગંગાનદીને તરવા માટે અતિ શ્રમયુકત ) છે) થયા છતાં તે ગંગાદેવીજ મધ્યભાગનવિષે મૂર્તિમતી હોતી થકી, તે શ્રીકૃષ્ણની વિશ્રાંતિ માટે જ SS વિષે સ્થળને નિર્માણ કરતી હતી. તે સમયે તે શ્રીકૃષ્ણ, તે સ્થળે મુહર્તમાત્ર વિશ્રાંતિને ? લઈને પછી તરીને ગંગાના સામાકાંઠપ્રત્યે જતા હવા; અને તે શ્રીકૃષ્ણુ, ત્યાં રહેલા જે પાંડુપુત્રતેઓ પ્રત્યે પ્રશ્ન કરતા હતા કે, “હે પાંડવો, તમે આ ભાગીરથીને કેવી રીતે તરીને આવ્યા.?” તે સમયે તે પાંડવો, “અમે સુવર્ણની નૌકાએ તરી આવ્યા” એવું કહેતા હતા. તે સાંભળી કૃષ્ણ બોલ્યા કે, “તમે મારે માટે તે નૌકા પાછી કેમ મોકલી નહીં? તે સાંભળી પાંડવો તમારા બાહુ સામર્થ્યને અવલોકન કરવા માટે અમે નૌકા મોકલી નહીં એવો ઉત્તર કહેતા ( હવા. પછી ક્રોધે કરી જેમાં તે આરકત થયા છે એવા તે શ્રીકૃષ્ણ, પાંડવોપ્રત્યે બોલતા હવા છે કે, “હે પાંડવો, કંસ, કેશી, જરાસંધ, અને ચાણુરાદિક-એઓના વધવિર્ષ પૂર્વ, અને સાંપ્રત આ છે પદ્મનાભરાજના પરાભવને વિષે તમે મારા બાહુનું સામર્થ્ય અવલોકન કર્યું નથી શું? તથાપિ વળી પણ સાંપ્રતકાળ જેવું હોય તે જૂઓ. એવું કોપે કરી ભાષણ કરી શ્રીકૃષ્ણ, લેહડે કરી તે પાંડવોના રથને લોહના ચૂર્ણ સરખા ચૂર્ણ કરતા હવા; અને એવું ભાષણ કરતા હતા કે “હે પાંડવો, તમે આ મારી પૃથ્વીને વિષે જે વાસ કરશે તે પુત્ર, બંધુ અને બાંધવોએ સહવર્તમાન 9) તમારી સંપૂર્ણ સેના પણ નાશ પામશે. એમાં કાંઈ સંશય નહીં એ પ્રમાણે ક્રોધે ભાષણ કરી છે તે શ્રીકૃષ્ણ, દારકાપ્રત્યે ગમન કરતા હવા. અને જેનાં મુખકમળ શ્યામવર્ણ થયા છે એવા તે ( પાંડવો પણ, દ્રૌપદીએસહવર્તમાન હસ્તિનાપુરપ્રત્યે ગમન કરતા હતા. અને તે હસ્તિનાપુરનવિષે છે આવ્યા પછી તે વાર્તાને કુંતી અને પાંડુરાજપ્રત્યે નિવેદન કરતા હવા. કારણ, પુત્રોના સુખનું અને તે દુખનું એક વિશ્રાંતિસ્થાન તે કેવળ માબાપજ છે. પછી પાંડુરાજા પોતાના મનમાં કોઈ વિછેચાર કરી શ્રીકૃષ્ણનું સ્તવન કરવા માટે દાકાવિષે શ્રીકૃષ્ણના સમીપભાગે કુંતીને મોકલતા હવા. છે ત્યારપછી હાથીઊપર આરોહણ કરી દ્વારકાપ્રત્યે ગમન કરનારી તે કુંતી, દારકાના બાગને Sી વિષે શ્રી મીશ્વરભગવાનના સમવસરણને અવલોકન કરી ચરણે ચાલી તે સમવસરણપ્રત્યે ગમન . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596