Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 564
________________ ૫૫૬ -- ગયા. ત્યારપછી વૈષાખ માસ પ્રાપ્ત થયો છતાં કદંવનનુંર ક્ષણ કરનારો જે માળી, તે દ્વારકામથે સભાનેવિષે આવીને એવી પ્રાર્થના કરતો હવો કે “હું દેવ, તમે કદંબવનનૅવિષે પૂર્વ પરિત્યાગ કરેલો મદિરા, ત્યાં રહેનારા વૃક્ષોના પુષ્પોની સુગંધીએ સુગંધયુકત થયો છતાં તે સ્વાદિષ્ટ માને ત્યાં ગમન કરેલા કોઇએક પુરૂષ પ્રાશન કરી, તે પુરૂષ દ્વારકામધ્યે આવીને સાંખકુમારને કાંઇક મદ્યનો નજરાણો દેઇને, અને તે મદ્યની પ્રશંસા કરી તે સાંખકુમારને મદ્યના સ્થળે લેઈને તેની કને તે મદ્ય પ્રાશન કરાવ્યો. પછી તે મદ્યની રૂચિ જાણનાગે તે સાંખકુમાર, ફરી તે મદ્યનું પ્રાશન કર્વામાટે ઉષ્કૃત એવા અન્ય રાજપુત્રોએ સહવર્તમાન તે વનપ્રત્યે ગમન કરતો હવો. પછી તે સંપૂર્ણ કુમારો તે મદ્યને યથેચ્છ પ્રાશન કરતા હવા. ત્યારપછી તતક્ષણજ ઉન્મત્તપણાને પામી તે સર્વ કુમારો તે વનનેવિષે યથેચ્છપણે સંચાર કરવા લાગ્યા. ત્યાં એકાંતસ્થળે તપ કરનારો જે દ્વેષાયનમુનિ-તેને અવલોકન કરી સંપૂર્ણ રાજકુમારો “આ દ્વૈપાયનમુનિ, દ્વારકાના દાહરૂપ કર્મને ઈચ્છા કરનારો છે એવો વિચાર કરી મહાક્રોધને ધારણ કરતા હવા. તે સમયે સાંખકુમાર એવું ભાષણ કરવા લાગ્યો કે મુનિઓ મધ્યે અધમ એવો જે દુરાત્મા આ દ્વૈપાયનમુનિ-તેહને હમણાંજ મારી નાખો, જે તપ કરીને અમારી નગરીને ખાળવામાટે ઈચ્છા કરેછે, તેને અમે કેમ ન મારીએ!” એવું સાંખકુમારે ભાષણ કરવું છતાં મદાંધ એવા તે તમારા સંપૂર્ણ કુમારો, કોઈ માટીનાં ઢેફાંએ, કોઈ હસ્તની થાપોટોએ, કોઈ લાકડીઓએ, અને કોઈ મુષ્ટિએ પ્રહાર કરી તે દ્વૈપાયનમુનિને મૃતપ્રાય કરતા હવા. પછી તે મૂતિ થએલા મુનિને “આ મરણ પામ્યો” એવો નિશ્ચય કરી તેનો પરિત્યાગ કરી તે સંપૂર્ણ કુમારો ઘેર આવતા હવા. ત્યારપછી મૂર્છા નિવૃત્ત થઈ છતાં સક્રોધ એવા તે દ્વૈપાયનમુનિને હું અવલોકન કરી એ વર્તમાન જણાવવાસારૂં અહીયાં આબ્યોછું,” હૈ ણકુમાર, એવું કહીને તે કદંબવનનું રક્ષણ કરનારો માળી છાનો રહ્યો છતાં તે દ્વૈપાયનમુનિથી અનર્થ પ્રાપ્ત ન થાય એવો નિશ્ચય કરી ખળામે સહવર્તમાન હું, તે ઋષિનું શાન્તવન કરવામાટે તે વનપ્રત્યે ગમન કરતો હવો. અને ત્યાં કોપાવેશે કરી જેનાં નેત્રો ભયંકર છે એવા તે મુનિને અવલોકન કરતો હવો. તે સમયે હું હાથ જોડી નમ્રતાપૂર્વક તે મુનિપ્રત્યે ભાષણ કરતો હવો કે “હે મુને, આચરણ કરવામાટે અશકચ એવું આ તમારૂં તપ કર્યાં! અને આ દુઃસહ કોપ કાં? એ બંનેનો તેજ અને અંધકારના સરખો એક ઠેકાણે વાસ કેમ થશે? અર્થાત થવાનો નથી. હું મુને, તારો આ ક્રોધરૂપ અગ્નિ, તારા શમરૂપ પાણીએ વારંવાર સિંચન કરેલા અને મુષ્ઠિત સંપત્તિરૂપ ફળોએ ફલિત થએલા એવા તોરૂપ બીજથી ઉત્પન્ન થએલા વૃક્ષ સમુદાયને દહન કરેછે. હે મહામુને, મદ્યપાને કરી અંધ થએલા બાળરૂપ જે અજ્ઞાની-તેઓએ જે તારૂં અપરાધાચણુ કરચું, તે મને સાંપ્રતકાળે ક્ષમા કરવામાટે તું યોગ્યછે.” એવું મારૂં ભાષણ શ્રવણ કરી જે = Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596