Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 570
________________ ૫૬૨ શ્રીકૃષ્ણ, તેના વધે કરી મલીન એવા જે હું-તેને ધિક્કાર હો.” એ પ્રકારે કરી શોક કરનારો જે હું-તેપ્રત્યે વાત્સલ્યે કરી ઉત્સુક એવા તે શ્રીકૃષ્ણ ભાષણ કરતા હવા કે, “હે જરાપુત્ર! તારા હવે એ વિલાપ બંધ કર. સાંપ્રતકાળે તું કોઈ મારૂં કાર્ય કરનારો થા. આ સમયથી એક મુહૂર્તમાત્રમાં મને મૃત્યુ અવશ્ય પ્રાપ્ત થશે. એ માટે સાંપ્રતકાળે હું શ્રીનેમિનાથના પદ્મપંકજનું સ્મરણ કહ્યું; ત્યાંસુધી તું આ મારા કૌસ્તુભને લેઇને મહાવેગે પાંડવોપ્રત્યે ગમન કર. જો નહીં ગમન કરેતો જળગ્રહણ કરી બળરામ આવ્યા છતાં તાહરો અવશ્ય પ્રાણયાત થશે; એ માટે તું કેટલાક માર્ગીપર્યંત ત્વએ ગમન કરવાને તત્પર હોતા થકો ગમન કર; એટલે અહીંયાં પ્રાપ્ત થએલા બળરામ રોષે કરી તારી પાછળ ગમન કરનાર નહીં. એવાં શ્રીકૃષ્ણનાં વચન સાંભળી પછી તે શ્રીકૃષ્ણના ચરણવિષે લાગેલા ખાણનો ઉદ્દાર કરી અર્થાત તે ખાણુ ચરણમાંથી કાઢીને, અને તે શ્રીકૃષ્ણે આપેલા કૌસ્તુભને ગ્રહણ કરીને હે ધર્મનંદન! હું આ ઠેકાણે પ્રાપ્ત થતો હવો.” એવી જરાકુમારના મુખથી દ્વારકાંની કથાને શ્રવણ કરી શ્રીકૃષ્ણ વિષે પરમસ્નેહ ધારણ કરનારા એવા તે પાંચ પાંડવો શોકગ્રસ્ત છતાં અકસ્માત્ શ્રુતજ્ઞાનને પામતા હવા. પછી તે પાંડવોને વિચારે કરી પ્રાપ્ત થયેલો જે વિવેક તે, પાંડવોના શોકનો નાશ કરીને ચિત્તવૃત્તિનેવિષે જેણે વાસ કરચોછે એવા, અને યતિધમઁ તથા શ્રાવકધર્મે એ બે પુત્રોએ અને સમ્યગ્દર્શનરૂપ પ્રધાનેકરી શોભિત, અને જેના સમીપભાગ વિષે સંતોષરૂપ સેવક બેઠો છે, એવા ચારિત્રરૂપ રાજાને બતાવતો હવો. પછી તે ચારિત્રરાજાના અવલોકને કરીતેજ તે પાંડવો પરમસુખનો અનુભવ લેતા હવા. અને વૈરાગ્યાદિકનું કારણ, એવા તે જરાકુમારનેજ મહોટો ઉપકારી એવો જાણતા હવા. તે સમયે તે પાંડવોએ પૂર્વેધણીવખત સ્વીકાર કરેલા જે મોહરાજદિક, તેપણ પ્રત્યેક પાંડવોને અત્યંત ઉપકારી ભાસવા લાગ્યા. પછી સદ્બોધસહિત નિર્વદનામક મિત્ર, પાંડવો પાસે આવીને મહાદ્ધિકોના પૃથક ગુણને પાંડવો માટે કથન કરતો હવો. પછી તે પાંડવો, પોતના ચિત્તનેવિષે એવું ચિંતન કરતા હવા કે “આ અમાણે મોહ, શત્રુ છતાં કેવલ મિત્રજ છે; એવું ભાસેછે. આજસુધી એ મોહનો જેષ્ઠ પુત્ર જે રાગનામે સિડ, તેણે અસાર એટલે મિથ્યા ભૂત એવા પણ સંપૂર્ણ વિષય, સારરૂપત્વે કરીને એટલે ખાપણાએ કરીને અમોને દેખાડ્યા. અને આ મોહનો કનિષ્ઠ પુત્ર જે દ્વેષ નામે ગજેંદ્ર તેણે, કરવા માટે અયોગ્ય એવો પણ અંધ્રુવધ અમારીકને કરાવ્યો. અને અન્યપણ એ મોહના વંશમધ્યે ઉત્પન્ન થન્મેલા વિષયાક્રિકોનો જે વિસ્તાર, તે આજપર્યંત અમોને સુખસંપત્તિના કુશપણા માટે અને ઘણા કને માટે થતો હવો. તે મોહે અમોને છોડચા માટે તે અપેક્ષાએ મોહનો અને ઉપકાર માનીએ છેએ. એ માટે હવે પછી એ નિર્વેદનેજ આગળ કરી તે જગત્પ્રભુ જે ચારિત્રરૂપ રાજા, ล Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596