Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 263
________________ ૨૩૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૧-૧૦૨ ભાવાર્થ : પ્રસ્તુત વિચારણામાં ક્યારેક બનતા ભરતાદિના દષ્ટાંતોનું કથન કરવું એ પ્રાયયોગ્ય નથી; કારણ કે ભગવાને સૂત્રમાં નિશ્ચય-વ્યવહાર એ બંને નયોને સમાન કહ્યા છે. આથી વ્યવહારનયની વાત ચાલતી હોય ત્યારે વચ્ચે નિશ્ચયનયની વાત લાવીને વ્યવહારનયને નિરર્થક બનાવવાનો પ્રયત્ન કરવો અનુચિત છે. પ્રસ્તુતમાં પ્રવ્રયાવિધાનનો અધિકાર ચાલે છે અને પ્રવજ્યાની વિધિ વ્યવહારનયની દૃષ્ટિથી યોગ્ય જીવોને કરાવાય છે; કેમ કે મોટા ભાગના યોગ્ય જીવો પ્રવ્રજ્યાગ્રહણની વિધિ કરવા દ્વારા વિરતિના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રવ્રજ્યાવિધાનમાં ભરતચક્રવર્તીએ દીક્ષા ગ્રહણ નહોતી કરી, છતાં પણ અરીસાભુવનમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા, એ પ્રકારના ક્યારેક બનતા ભાવને ગ્રહણ કરીને બાહ્ય ક્રિયાઓ વિરતિના પરિણામનું કારણ નથી, માટે મુમુક્ષુને ચૈત્યવંદનાદિ વિધિથી દીક્ષા આપવી નિરર્થક છે, તેમ કહીને વ્યવહારનયનો અપલાપ કરવો ઉચિત નથી; કેમ કે શાસ્ત્રમાં વ્યવહારનય અને નિશ્ચયનય, એ બંનેને સમાન કહ્યા છે. તેથી નિશ્ચયનયના સ્થાને નિશ્ચયનયને અને વ્યવહારનયના સ્થાને વ્યવહારનયને જોડવો એ જ ઉચિત છે. વળી, કોઈ સાધુ દીક્ષા ગ્રહણ કર્યા પછી પરિણામનિરપેક્ષ થઈને માત્ર ક્રિયામાં જ રત રહેતા હોય તો તેમને નિશ્ચયનયની દૃષ્ટિથી ઉપદેશ આપવામાં આવે કે પરિણામમાં યત્ન કરવામાં ન આવે અને માત્ર બાહ્યક્રિયામાં જ સંતોષ માનવામાં આવે તો આત્મહિત સાધી શકાય નહીં. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે “પરિણામથી જ બંધ છે અને પરિણામથી જ મોક્ષ છે.” આ રીતે જે સ્થાનમાં નિશ્ચયનયથી આત્મહિત થઈ શકતું હોય તે સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લેવું જોઈએ, અને જે સ્થાનમાં વ્યવહારનયથી આત્મહિત થઈ શકતું હોય તે સ્થાનમાં વ્યવહારનયનું અવલંબન લેવું જોઈએ.૧૭૧ અવતરણિકા : एतदेवाहઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભગવાન વડે વ્યવહારનય અને નિશ્ચયનય બંને સમાન કહેવાયા છે, તેથી આને જ= વ્યવહારનયના સ્થાનમાં વ્યવહારનયને બદલે નિશ્ચયનયને યોજવો ઉચિત નથી એને જ, કહે છે ગાથા : जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुअह। ववहारणउच्छेए तित्थुच्छेओ जओऽवस्सं ॥१७२॥ અન્વયાર્થ : =જો નિયંત્રજિનમતને પવMદ તમે સ્વીકારો છો ત તો વવહાળિછv=વ્યવહાર અને નિશ્ચયને મા મુદ=મૂકો નહિ; =જે કારણથી વવહાર છેv=વ્યવહારનયના ઉચ્છેદમાં વસં=અવશ્ય તિસ્થચ્છે તીર્થનો ઉચ્છેદ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352